હળવદના પાંડાતિરથ ગામને જૂથ યોજના હેઠળ પાણી પહોચાડવામાં તંત્ર સફળ
નાઈટ પેટ્રોલીંગના ધજાગરા: વાંકાનેરના લુણસરીયામાં મંદિરમાં નવ મહિનામાં ત્રીજીવાર ચોરી
SHARE








નાઈટ પેટ્રોલીંગના ધજાગરા: વાંકાનેરના લુણસરીયામાં મંદિરમાં નવ મહિનામાં ત્રીજીવાર ચોરી
મોરબી જિલ્લામાં નાઈટ પેટ્રોલીંગ પોલીસ કરે છે તેવી વાતો કરવામાં આવે છે જો કે, વાંકાનેર તાલુકામાં પોલીસના નાઈટ પેટ્રોલિંગના ધજાગરા થતાં હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે કેમ કે, લુણસરીયા ગામના આવેલ હનુમાનજી મંદિરને નવ માહિનામાં ત્રીજી વખત ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવેલ છે અને હાલમાં તસ્કર દ્વારા મંદિરમાં હનુમાનજીનો ચાંદીનો મુગટ અને અન્ય વસ્તુઓ ચોરી કરવામાં આવી છે જેથી કરીને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠવા લાગ્યા છે.
વાંકાનેરના લુણસરીયા ગામમે આવેલ હનુમાનજી મંદિરને તા. 1 ઓગસ્ટ ના રોજ રાત્રિના દોઢેક વાગ્યાના અરસરમાં તસ્કરે નિશાન બનવ્યું હતું અને મંદિરમાં બે શખ્સોએ પ્રવેશ કર્યો હતો અને આ શખ્સોએ મંદિરની દાનપેટી તોડી હતી પરંતુ દાનપેટીમાં કોઈ રોકડ કે મૂલ્યવાન વસ્તુ મળી ન હતી અને ચોરી કરવા માટે આવેલ શખ્સોએ પોતાની ઓળખ છુપાવવા માટે સીસીટીવી કેમેરો બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમાં પણ તેઓને સફળતા મળી ન હતી. ત્યાર બાદ મંદિરમાં હનુમાનજી ઉપર ચડાવવામાં આવેલ ચાંદીનો મુગટ અને અન્ય વસ્તુઓની ચોરી કરવામાં આવેલ છે જો કે, છેલ્લા નવ મહિનામાં ત્રીજી વખત તસ્કર દ્વારા આ મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવેલ છે. અને વારંવાર લોકોની આસ્થા અને શ્રદ્ધાના પ્રતિક સમાન મંદિરમાં ચોરી કરવામાં આવે છે તો પણ તસ્કરો કેમ પકડાતાં નથી તે સૌથી મોટો સવાલ છે અને અહી એ વાત પણ ઉલેખનીય છે કે, દરેક વખતે તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે અને તેના વિડીયો પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા હતા તો પણ આરોપી પકડાયેલ નથી. આમ પોલીસની નિષ્ક્રિયતાને લઈને લોકોમાં ભારે રોષની લાગણી છે.
