ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા યુવાને ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મિં.)ના વાધરવા ગામ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબીના રાજપર અને ટંકારાના ખીજડીયા રોડે અકસ્માતના જુદાજુદા બે બનાવમાં ઇજા પામેલ બે યુવાનના મોત મોરબીના એસ.ટી. વિભાગને લગતા પશ્નો બાબત જીલ્લા પ્રમુખ ભાજપને પત્ર લેખીત રજૂઆત એક થપ્પડ કી ગુંજ: મોરબીમાં કેમ ચાલુ જાહેર સભામાં યુવાનને પડ્યો લાફો ?, AAP સત્તામાં નથી ત્યાં આવી દાદાગીરી ! સોશ્યલ મીડિયામાં સવાલોનો મારો મોરબીમાં ભૂખ્યા પેટે દવા પી લેતા ઉલ્ટીઓ થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત: હળવદમાં માથામાં દુખાવો સારવારમાં ખસેડાયેલ યુવતીનું મોત મોરબી, વાંકાનેર અને માળીયામાં જુગારની 5 રેડ: 6 મહિલા સહિત 19 લોકો જુગાર રમતા પકડાયા દારૂની હેરાફેરી માટે બાળકનો ઉપયોગ !: મોરબીમાં 100 લિટર દારૂ ભરેલ રિક્ષા લઈને બાળકિશોર નીકળ્યો, માલ આપનાર-મંગાવનારની શોધખોળ
Breaking news
Morbi Today

નાઈટ પેટ્રોલીંગના ધજાગરા: વાંકાનેરના લુણસરીયામાં મંદિરમાં નવ મહિનામાં ત્રીજીવાર ચોરી


SHARE















નાઈટ પેટ્રોલીંગના ધજાગરા: વાંકાનેરના લુણસરીયામાં મંદિરમાં નવ મહિનામાં ત્રીજીવાર ચોરી

મોરબી જિલ્લામાં નાઈટ પેટ્રોલીંગ પોલીસ કરે છે તેવી વાતો કરવામાં આવે છે જો કે, વાંકાનેર તાલુકામાં પોલીસના નાઈટ પેટ્રોલિંગના ધજાગરા થતાં હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે કેમ કે, લુણસરીયા ગામના આવેલ હનુમાનજી મંદિરને નવ માહિનામાં ત્રીજી વખત ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવેલ છે અને હાલમાં તસ્કર દ્વારા મંદિરમાં હનુમાનજીનો ચાંદીનો મુગટ અને અન્ય વસ્તુઓ ચોરી કરવામાં આવી છે જેથી કરીને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠવા લાગ્યા છે.

વાંકાનેરના લુણસરીયા ગામમે આવેલ હનુમાનજી મંદિરને તા. 1 ઓગસ્ટ ના રોજ રાત્રિના દોઢેક વાગ્યાના અરસરમાં તસ્કરે નિશાન બનવ્યું હતું અને મંદિરમાં બે શખ્સોએ પ્રવેશ કર્યો હતો અને આ શખ્સોએ મંદિરની દાનપેટી તોડી હતી પરંતુ દાનપેટીમાં કોઈ રોકડ કે મૂલ્યવાન વસ્તુ મળી ન હતી અને ચોરી કરવા માટે આવેલ શખ્સોએ પોતાની ઓળખ છુપાવવા માટે સીસીટીવી કેમેરો બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમાં પણ તેઓને સફળતા મળી ન હતી. ત્યાર બાદ મંદિરમાં હનુમાનજી ઉપર ચડાવવામાં આવેલ ચાંદીનો મુગટ અને અન્ય વસ્તુઓની ચોરી કરવામાં આવેલ છે જો કે, છેલ્લા નવ મહિનામાં ત્રીજી વખત તસ્કર દ્વારા આ મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવેલ છે. અને વારંવાર લોકોની આસ્થા અને શ્રદ્ધાના પ્રતિક સમાન મંદિરમાં ચોરી કરવામાં આવે છે તો પણ તસ્કરો કેમ પકડાતાં નથી તે સૌથી મોટો સવાલ છે અને અહી એ વાત પણ ઉલેખનીય છે કે, દરેક વખતે તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે અને તેના વિડીયો પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા હતા તો પણ આરોપી પકડાયેલ નથી. આમ પોલીસની નિષ્ક્રિયતાને લઈને લોકોમાં ભારે રોષની લાગણી છે. 




Latest News