મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીના બ્રહ્મપુરી સોસાયટીમાં નવનિર્મિત શિવપરિવાર મંદિરનો ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠ મહોત્સવ સંપન્ન


SHARE











મોરબીના બ્રહ્મપુરી સોસાયટીમાં નવનિર્મિત શિવપરિવાર મંદિરનો ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠ મહોત્સવ સંપન્ન

મોરબીમાં શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી રહ્યા છે. ત્યારે મોરબીના યુવા બિલ્ડર તરીકે જાણીતા અનન્ય ભોળાનાથ મહાદેવના ભક્ત અને સેવાભાવી સંજયભાઈ રમણીકભાઇ ધોળકિયા પરિવાર દ્વારા મોરબીમાં ત્રીજા શિવપરિવાર મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે.

પ્રથમ મોરબીના વાવડી રોડ પર બાદમાં શ્રદ્ધા પાર્કમાં અને હાલ નવલખી રોડ પર આવેલ બ્રહ્મપુરી સોસાયટીમાં આ સુંદર શિવપરિવાર મંદિર નિર્માણ કરવામાં આવ્યુ છે. જેમાં શિવ, પાર્વતી, ગણેશ સહીત શિવપરિવારની મૂર્તિપ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે. સંજયભાઈ નો સમગ્ર પરિવાર શિવના રંગે રંગાયો છે. મોરબી પંથકમાં વ્યાસ સમાજ સહીત અન્ય સમાજમાં પણ થતા સેવાકાર્યોમાં હંમેશા તન, મન અને ધનથી સહકાર આપતા સંજયભાઈ ધોળકિયા વ્યાસ જ્ઞાતિના ગૌરવમાં વધારો કરતા કાર્યો કરતા હોવાથી શ્રી વ્યાસ પ્રગતિ મંડળ, મોરબીના આગેવાનો સર્વે પ્રવિણભાઇ વ્યાસ, બાબુભાઇ વ્યાસ, વસંતભાઈ વ્યાસ, નિલેશભાઈ વ્યાસ, ડી. જી. વ્યાસ, દિવ્યેશ વ્યાસ સહિતનાઓ દ્વારા પાઘડી પહેરાવી, શાલ ઓઢાડી પુષ્પહાર દ્વારા તેમનું અદકેરૂ સન્માન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, બ્રહ્મસમાજ અગ્રણી ભુપતભાઇ પંડ્યા, અનિલભાઈ મહેતાદિલીપભાઈ આદ્રોજા, ભરતભાઈ અમૃતિયા, યશવંતસિંહ રાણા સહીત અગ્રણીઓં ઉપસ્થિત રહ્યા હતા. શાસ્ત્રી આશિષભાઇના આચાર્ય પદે દશ જેટલા ભૂદેવો વિધીમાં જોડાયા હતા.






Latest News