મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં રેલ્વેની મોટી દુર્ઘટના થતી સહેજમાં અટકી, રેલ્વે ફાટકના ગેટમેનને કર્યો સસ્પેન્ડ


SHARE







મોરબી શહેરમાં રેલ્વેની મોટી દુર્ઘટના થતી સહેજમાં અટકી, રેલ્વે ફાટકના ગેટમેનને કર્યો સસ્પેન્ડ

મોરબીમાંથી પસાર થતી ગાંધીધામ બાંદ્રા ટ્રેન રાત્રીના પોણા બાર વાગ્યાના અરસામાં વાંકાનેર તરફ જઈ રહી હતી દરમિયાન પરશુરામ પોટરી પાસે આવેલ ફાટક નં. 28 ના ગેટમેન દ્વારા ફાટક બંધ કરવામાં આવ્યું ન હતું જેથી આ ટ્રેનને રોકવામાં આવી હતી અને આ ગંભીર બાબતની જાણ થતાની સાથે જ રેલવેના ટ્રાફિક ઇન્સ્પેક્ટર સહિતના જવાબદાર અધિકારી દોડી આવ્યા હતા અને ફરજમાં બેદરકારી રાખનાર ગેટમેનને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

હાલમાં રેલ્વે વિભાગના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી વખતે પ્રમાણે ગુરુવારે રાત્રીના પોણા બાર વાગ્યાના અરસામાં ગાંધીધામથી બાંદ્રા તરફ જતી પેસેન્જર ટ્રેન મોરબી રેલ્વે સ્ટેશન ઉપરથી પસાર થઈને આગળ વાંકાનેર તરફ જઈ રહી હતી દરમિયાન પરશુરામ પોટરીની પોસ્ટ ઓફિસ પાસે જે 28 નંબરનું રેલવે ફાટક આવેલું છે તે ફાટકના ગેટમેન દ્વારા ફાટકને બંધ કરવામાં આવ્યું ન હતું જેથી પેસેંજર ટ્રેનને ત્યાં રોકવામાં આવી હતી અને મોરબીમાં રેલવેની મોટી દુર્ઘટના સર્જાય ત્યાર પહેલા સહેજમાં આ ઘટના ટ્રેનના ડ્રાઇવરની સતર્કતાના લીધે અટકી ગઈ હતી જોકે આ ઘટનાની જાણ થતાની સાથે જ ટ્રાફિક ઇન્સ્પેક્ટર સહિતના જવાબદાર અધિકારીઓ ત્યાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ બાબતે મોરબી રેલ્વે સ્ટેશનના સ્ટેશન માસ્તર ડી.એલ.વર્મા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ફરજમાં બેદરકારી રાખનાર ગેટમેનને સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે દોજીરામ મીણા નામના ગેટમેન રાત્રીના સમયે ત્યાં ફરજ ઉપર હતા અને તેને પોતાની ફરજમાં બેદરકારી રાખી હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવેલ છે.






Latest News