મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં રેલ્વેની મોટી દુર્ઘટના થતી સહેજમાં અટકી, રેલ્વે ફાટકના ગેટમેનને કર્યો સસ્પેન્ડ


SHARE











મોરબી શહેરમાં રેલ્વેની મોટી દુર્ઘટના થતી સહેજમાં અટકી, રેલ્વે ફાટકના ગેટમેનને કર્યો સસ્પેન્ડ

મોરબીમાંથી પસાર થતી ગાંધીધામ બાંદ્રા ટ્રેન રાત્રીના પોણા બાર વાગ્યાના અરસામાં વાંકાનેર તરફ જઈ રહી હતી દરમિયાન પરશુરામ પોટરી પાસે આવેલ ફાટક નં. 28 ના ગેટમેન દ્વારા ફાટક બંધ કરવામાં આવ્યું ન હતું જેથી આ ટ્રેનને રોકવામાં આવી હતી અને આ ગંભીર બાબતની જાણ થતાની સાથે જ રેલવેના ટ્રાફિક ઇન્સ્પેક્ટર સહિતના જવાબદાર અધિકારી દોડી આવ્યા હતા અને ફરજમાં બેદરકારી રાખનાર ગેટમેનને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

હાલમાં રેલ્વે વિભાગના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી વખતે પ્રમાણે ગુરુવારે રાત્રીના પોણા બાર વાગ્યાના અરસામાં ગાંધીધામથી બાંદ્રા તરફ જતી પેસેન્જર ટ્રેન મોરબી રેલ્વે સ્ટેશન ઉપરથી પસાર થઈને આગળ વાંકાનેર તરફ જઈ રહી હતી દરમિયાન પરશુરામ પોટરીની પોસ્ટ ઓફિસ પાસે જે 28 નંબરનું રેલવે ફાટક આવેલું છે તે ફાટકના ગેટમેન દ્વારા ફાટકને બંધ કરવામાં આવ્યું ન હતું જેથી પેસેંજર ટ્રેનને ત્યાં રોકવામાં આવી હતી અને મોરબીમાં રેલવેની મોટી દુર્ઘટના સર્જાય ત્યાર પહેલા સહેજમાં આ ઘટના ટ્રેનના ડ્રાઇવરની સતર્કતાના લીધે અટકી ગઈ હતી જોકે આ ઘટનાની જાણ થતાની સાથે જ ટ્રાફિક ઇન્સ્પેક્ટર સહિતના જવાબદાર અધિકારીઓ ત્યાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ બાબતે મોરબી રેલ્વે સ્ટેશનના સ્ટેશન માસ્તર ડી.એલ.વર્મા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ફરજમાં બેદરકારી રાખનાર ગેટમેનને સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે દોજીરામ મીણા નામના ગેટમેન રાત્રીના સમયે ત્યાં ફરજ ઉપર હતા અને તેને પોતાની ફરજમાં બેદરકારી રાખી હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવેલ છે.






Latest News