મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામે કામ ધંધો ન કરીને દેણું કરતાં ભાઈની ભાઈએ કરી હત્યા: આરોપીની ધરપકડ


SHARE











મોરબીના રાજપર ગામે કામ ધંધો ન કરીને દેણું કરતાં ભાઈની ભાઈએ કરી હત્યા: આરોપીની ધરપકડ

મોરબીના રાજપર ગામે રહેતો યુવાન કામ ધંધો કરતો ન હતો અને હાથ ઉછીના રૂપિયા બીજા પાસેથી લઈને જલસા કરતો હતો અને દેણું કરતો હતો જેથી તે યુવાનના પિતાએ 10 વીઘા જેટલી જમીન વેચી નાખી હતી છતાં પણ તે યુવાન ગામમાં દેણું કરતો હતો જેથી કંટાળી ગયેલા તે યુવાનના મોટા ભાઈએ આવેશમાં આવીને યુવાનને માથા, કપાળ અને ડોકની આગળ તથા પાછળના ભાગે લાકડી વડે તથા શાક સુધારવાના ચપ્પા વડે મારમારીને ગંભીર ઇજા કરી હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના બહેનની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં યદુનંદન 19/22 ખોડીયાર પાનવાડી શેરી માં રહેતા ભાવનાબેન નિલેશભાઈ ભીમાણી (42)એ તેના સગા ભાઈ મહેશભાઈ મોહનભાઈ અઘારા રહે. રાજપર વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યુ છે કે, રાજપર ગામે તેઓના પિતા મોહનભાઈ અઘારા, ભાઈ મહેશભાઈ અને પ્રવીણભાઈ રહે છે અને તેનો ભાઈ પ્રવીણ કોઈ કામ ધંધો કરતો ન હતો અને બીજા લોકો પાસેથી હાથ ઉંચીને પૈસા લઈને જલસા કરતો હતો અને તેનું દેણું અગાઉ એક વખત તેના પિતાએ ભરવા માટે થઈને પોતાની 10 વીઘા જમીન વેચી નાખી હતી તેમ છતાં પણ પ્રવીણ કોઈ કામ ધંધો કરતો ન હતો અને બીજા લોકો પાસેથી ઉછીના રૂપિયા લઈને દેણું કરતો હતો જેથી કંટાળી ગયેલા મહેશભાઈએ આવેશમાં આવીને માથા, કપાળ અને ડોકની આગળ તથા પાછળના ભાગે લાકડી અને શાક સુધારવાના ચપ્પા વડે મારમારીને ગંભીર ઇજા કરી હતી જેથી પ્રવીણભાઈ મોહનભાઈ અઘારા (37)નું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનની બહેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી મહેશભાઈ મોહનભાઈ અઘારા રહે. રાજપર વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News