મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા મોરબી વાંકાનેર રોડે સરતાનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત
Breaking news
Morbi Today

ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા યુવાને ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE











ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા યુવાને ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટી શેરી નંબર-૧૯ માં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના ભાઈએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી.

મૂળ જામનગરના હાપા ખારી વિસ્તારમાં રહેતા અને હાલ ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટી શેરી નંબર-૧૯ સરદાર સ્કૂલ સામેના ભાગમાં રહેતા વિજયભાઈ સવજીભાઈ પાટડીયા (૩૦) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરે બીજા માળે રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું.ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના ભાઈ વિશાલભાઈ સવજીભાઈ પાટડીયા (૨૭) રહે.હાપા ખારી વિસ્તાર જામનગર વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા ભીખુરામ નાગલદાસ નામનો ૩૦ વર્ષનો યુવાન પગપાળા જતો હતો ત્યારે કોઈ અજાણ્યા એકટીવા ચાલકે તેને હડફેટ લેતા ઇજા પામતા અત્રે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તેમજ મોરબીના રવાપર રોડ નરસગ ટેકરી મંદિર પાસે આવેલ કર્તવ્ય એપાર્ટમેન્ટ નજીક બાઇકમાંથી નીચે પડી જતા કંચનબેન શાંતિલાલ કોટડીયા (૫૬) રહે.જોધપર નદી ને ઇજા થવાથી અત્રે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેમજ મોરબીના રાતડીયાની વાડી વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ ભગવાનજીભાઈ ડાભી નામનો ૩૪ વર્ષનો યુવાન લાતી પ્લોટ પાસેના વિશાલ ફર્નિચર પાસેથી જતો હતો ત્યાં લાતી પ્લોટ નજીક બાઇક સ્લીપ થવાના બનાવમાં ઈજા પામતા તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.તેમજ વાંકાનેરના કાશીપર ગામે વાડી વિસ્તારમાં તબિયત લથડી જતા યશપાલ દેવાભાઈ લુંભાણી નામના ૧૬ વર્ષને સારવાર માટે આયુષ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.

વૃદ્ધા સારવારમાં

સુરેન્દ્રનગરના મૂળી ખાતેના સરા ગામના અનસોયાબેન શંકરભાઈ વરમોરા નામના ૬૬ વર્ષના વૃદ્ધા સરા ગામ પાસે આવેલ બાપાસીતારામ મઢુલી પાસેથી બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે પડી જતા તેઓને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે માળિયા મિંયાણાના સરવડ ગામના અમૃતભાઈ બેચરભાઈ ઠોરિયા નામના ૪૯ વર્ષના આધેડને મોટર સાયકલમાં પગ આવી જતા પડી ગયા હોય તેમને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તેમ પોલીસે જણાવેલ છે.






Latest News