મોરબીમાં કારખાનામાં લોડરની હેડફેટે યુવાનનું મોત મોરબી સિરામિક એસો. દ્વારા ટાઇલ્સ ઉપર લગતા જીએસટીમાં ઘટડો કરવા કેન્દ્રિય નાણામંત્રીને રજૂઆત મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં યુવાનને જાહેરમાં તમાચો ઝીકિ દેનારા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબીના જાંબુડીયા ગામે જુગારની બે રેડમાં જુગાર રમતા સાત પકડાયા  હળવદના સુસવાવ ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા મોરબી-ટંકારાના 6 શખ્સ 1.17 લાખની રોકડ સાથે પકડાયા માળીયા (મી)માં પ્રેમલગ્ન કરનાર યુવાનના કૌટુંબિક ભાઈ ઉપર યુવતીના પિતાએ કર્યું બંદૂકમાંથી ફાયરિંગ: ગુનો નોંધાયો મોરબી OMVVIM કોલેજ ખાતે વાવડી રોડ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તમાકુ નિષેધ કાર્યક્રમ યોજાયો મોરબીના આગેવાનને નર્મદાના નીર થકી સૌરાષ્ટ્રના ડેમો ભરવા કરી મુખ્યમંત્રીને રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં સફાઇ કામદારને ભૂગર્ભ ગટર, ખાળકૂવામાં સફાઇ કરાવવા ઉતરવા/ઉતારવા ઉપર પ્રતિબંધ


SHARE















મોરબીમાં સફાઇ કામદારને ભૂગર્ભ ગટર, ખાળકૂવામાં સફાઇ કરાવવા ઉતરવા/ઉતારવા ઉપર પ્રતિબંધ

મેન્યુઅલ સ્કેવેન્જર્સની પ્રથા નાબુદ કરવા સંદર્ભે ‘ધી પ્રોહીબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્ઝર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન એકટ-૨૦૧૩’ નો અમલ તા. ૧૯/૦૯/૨૦૧૩ તથા તે હેઠળ બનેલ નિયમનો તા.૧૨/૧૨/૨૦૧૩થી સમગ્ર દેશમાં કરવામાં આવેલ છે. આ કડક કાયદાનો મુખ્ય હેતુ કોઈપણ સફાઇ કામદારને ભૂગર્ભ ગટર તેમજ ખાળકૂવામાં સફાઇ કરાવવા, ઊંડે ઉતરવા/ઉતારવા પર પ્રતિબંધ ફરમાવી, ગેસ ગળતરને કારણે કામદારોના સંભવિત મૃત્યુની દુર્ઘટના સંપૂર્ણ રીતે અટકાવવાનો છે.

મોરબી જિલ્લા પંચાયત વિસ્તારમાં આવેલ ખાનગી મિલ્કત/સોસાયટી/ફલેટ/રહેણાંક વસાહતો/ હોટલ/ દુકાનો/ રેસ્ટોરન્ટ/ હોસ્પીટલ/ પેઢીઓ/ કારખાનાઓ/ સંસ્થાઓ/ ધર્મશાળાઓ/ ગેસ્ટહાઉસ/ સમાજવાડીઓ/ ધાર્મિક મંદિરો/ શાળા/ કોલેજ/ હોસ્ટેલ વગેરેની અંદર કે આજુબાજુમાં આવેલ ભૂગર્ભ ગટર તેમજ ખાળકુવા સાફ કરવા માટે ક્યારેય કોઈપણ સફાઇ કામદારોને ભૂગર્ભ ગટર/ખાળકૂવા સફાઇ કરાવવા માટે ઊંડે ઉતારવાના રહેશે નહિ કે તે માટે કોઈ ફરજ પાડી શકશે નહી. આ અધિનિયમની જોગવાઈ અનુસાર ગટર સફાઇ દરમિયાન થતાં મૃત્યુ તથા દિવ્યાંગતાના કિસ્સામાં જે વ્યક્તિ/ સંસ્થા/ સોસાયટી/કોન્ટ્રાકટર દ્વારા સફાઇ કામદારોને ગટર સફાઇ માટે રોકવામાં આવેલ હોય તે જવાબદાર વ્યક્તિ/ સંસ્થા/ સોસાયટી/ કોન્ટ્રાકટર સામે ગેરકાયદેસર કૃત્ય બદલ ફોજદારી રાહે પગલા ભરવાની જોગવાઈ ઉપરાંત સુપ્રીમ કોર્ટના રીટ પિટિશનના ચુકાદાથી ગટર ગૂંગડામણને કારણે મૃત્યુ પામેલ સફાઇ કામદારોના મૃત્યુના કેસમાં સફાઇ કામદારોના વારસદારોને ૧૦.૦૦ લાખનું વળતર ચૂકવવા આદેશ આપવામાં આવેલ છે.

સુપ્રીમ કોર્ટના તા.૨૦/૧૦/૨૦૨૩ના ચુકાદા મુજબ વળતરની રકમમાં વધારો કરી ૩૦.૦૦ લાખ ચૂકવવા આદેશ કરેલ છે અને ભોગ બનનાર મૃતકોના વારસદારોને જો ૧૦.૦૦ લાખનું ચૂકવણું કરવાનું બાકી હોય તેવા તમામ વરસદારોને ૩૦.૦૦ લાખનું ચૂકવણું કરવા તેમજ ગટર સફાઇ દરમિયાન ઉદભવતી દિવ્યાંગતાના કિસ્સામાં દિવ્યાંગતા અનુસાર ન્યૂનતમ ૧૦.૦૦ લાખનું વળતર અને કાયમી દિવ્યાંગતાના કિસ્સામાં ન્યૂનતમ ૨૦.૦૦ લાખનું વળતર ચૂકવવા આદેશ કરેલ છે. કાનૂની ફરજ ઉપરાંત માનવતાની દ્રષ્ટીએ પણ આ જોખમી કામગીરી અપરાધ હોવાથી આપણે સૌને સાથે મળી ગેસ ગળતરથી થતાં અકાળે મૃત્યુને સંપૂર્ણપણે અટકાવવા માટે સહકાર આપવા  ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ મોરબીના જિલ્લા મેનેજરની યાદીમાં જણાવાયું છે.




Latest News