ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી : ચેક રીર્ટન કેસમાં ટંકારા કોર્ટે આરોપીને ૧ વર્ષની સજા અને ૮ લાખનો દંડ ફટકાર્યો


SHARE













મોરબી : ચેક રીર્ટન કેસમાં ટંકારા કોર્ટે આરોપીને ૧ વર્ષની સજા અને ૮ લાખનો દંડ ફટકાર્યો

ફરીયાદી વલ્લભભાઈ વામજા લજાઈ ખાતે જોગ આશ્રમે સેવા આપતા અને ત્યાં આરોપી કયવના શાહ ત્યાં બાજુમાં કલબ-૩૬ માં સ્પાનું સંચાલન કરતા જેથી ચાની દુકાને આરોપી કયવના શાહ અને ફરિયાદી વલ્લભભાઈ વામજા મળતા હોય બંને એકબીજાને ઓળખતા અને સંપર્કમાં આવેલા બંને એકબીજાને સારી રીતે ઓળખતા થયેલ. આરોપી કયવના શાહને અંગત જરુરીયાત માટે પૈસાની જરૂર પડેલ જેથી આરોપીએ ફરીયાદી વલ્લભભાઈ વામજા પાસે પૈસા માંગેલા જેથી ફરીયાદીએ તા.૨૫-૦૮-૨૨ ના રોજ રૂા. ૪,૦૦,૦૦૦ હાથ ઉછીના વગર વ્યાજે આરોપીને આપેલ.અને આ રકમ ૫૦ હજારના આઠ હપ્તામાં પરત આપવાનું આરોપી કહેલ અને તે મતલબનો આરોપીએ ફરીયાદી વલ્લભભાઈ વામજાને ચેક આપેલ.ફરીયાદીએ આરોપીને રકમ આપ્યા બાદ રકમ માંગતા આરોપી આપતા ન હોય અને પૈસા પાછા માંગશો તો ખોટા વ્યાજવટાના કેસમાં ફીટ કરવાની ફરીયાદીને આરોપીએ ધમકી આપેલ. ત્યારબાદ ફરીયાદીએ આ કામના આરોપીને ચેક રીર્ટન થયાની વકીલ મારફત નોટીસ મોકલેલ છતા આરોપીએ નોટીસનો કોઈ જવાબ આપેલ નહી કે રકમ પરત કરવાની કોઈ દરકાર લીધેલ નહી. જેથી ફરીયાદીએ આ આરોપી વિરુધ્ધ વટાઉખત અધિનિયમની કલમ-૧૩૮ મુજબ ન્યાયીક કાર્યવાહી અર્થે તેમના વકીલ હીતેશ એ.પરમાર મારફત ટંકારા કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવેલ.

સદરહુ કેસ ટંકારાના મહે. જયુડી.મેજી.ફ.ક. સાહેબની કોર્ટમાં ચાલતા આરોપી વીરુધ્ધ સમન્સ ઈસ્યુ કરેલ જેથી આરોપી તેમના વકીલ મારફત કોર્ટમાં હાજર રહેતા અને કોર્ટ કાર્યવાહી ચલાવેલ અને નામ.કોર્ટએ ફરીયાદ પક્ષનો પુરાવો નોંધેલ. ત્યારબાદ સદરહુ કામે દલીલ કરવામાં આવેલ અને બાદમાં ફરીયાદ પક્ષના વકીલ હીતેશ એ.પરમારનાઓની દલીલ માન્ય રાખી અને સાધનીક રેકર્ડ વંચાણે લઈ આરોપી કયવના શાંતીલાલ શાહને ફોજદારી કાર્યવાહીના કાયદા, ૧૯૭૩ ની કલમ મુજબ વિવાદીત ચેકની બમણી રકમ રૂા.૮,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા આઠ લાખ પુરા) ફરીયાદીને ફરીયાદ દાખલ કર્યા તારીખથી વાર્ષીક ૯ ટકા સાદા વ્યાજ સહિત વળતર પેટે દીન-૬૦ માં ચુકવી આપવા હુકમ ફરમાવેલ અને આ વળતરની રકમ ચુકવવામાં આરોપી કશુર કરે તો વધુ ૩ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરમાવવામાં આવેલ છે.આ કામમાં ફરીયાદ પક્ષ તરફે ટંકારા તાલુકાના યુવા વકીલ હીતેશ એ.પરમાર રોકાયેલા હતા અને યુવા વકીલ પીન્ટુ ડી.પરમાર સાથે રહ્યા હતા.






Latest News