ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા કે.ડી.બાવરવાની કોંગ્રેસ પક્ષમાં સતત અવગણના કરવામાં આવતા તમામ હોદાઓ ઉપરથી મૂક્યું રાજીનામું


SHARE













મોરબીમાં રહેતા કે.ડી.બાવરવાની કોંગ્રેસ પક્ષમાં સતત અવગણના કરવામાં આવતા તમામ હોદાઓ ઉપરથી મૂક્યું રાજીનામું

મોરબીમાં રહેતા રાજીવ ગાંધી પંચાયત રાજ સગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખની સ્થાનિક નેતાઓ અને સંગઠન દ્વારા સતત અવગણના કરવામાં આવતી હતી જેની રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આજે રાજીવ ગાંધી પંચાયત રાજ સગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખ દ્વારા તેઓના પદ અને કોંગ્રેસનાં સભ્ય પદ ઉપરથી રાજીનામું આપવામાં આવેલ છે.

મોરબીના નવા બસસ્ટેન્ડ સામે રાજધાની કોમ્પ્લેક્ષમાં ઓફિસ ધરાવતા કાંતિલાલ ધરમશીભાઈ બાવરવા (કે.ડી. બાવરવા)ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાને લેખિતમાં પોતાનું રાજીનામું મોકલવી આપેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ રાજીવ ગાંધી પંચાયત રાજ સગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખ છે તે પદ અને કોંગ્રેસ પક્ષ ના પ્રાથમિક સભ્ય પદેથી તેઓ રાજીનામું આપે છે. વધુમાં તેમણે લખ્યું છે કે, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિથી તેઓને કોઈ ફરિયાદ નથી આટલા વર્ષો કોંગ્રેસ પાર્ટી સાથે રહ્યો છું. અને મને આપવામાં આવેલ દરેક કામને નિષ્ઠાપુર્વક કરવાનો  પ્રયત્ન કર્યો  છે.  છતાં પણ મારી ક્યાંક કચાસ રહેવા પામી હોય તો માફી માગું છું. જો કે, સ્થાનિક નેતાઓ તેમજ સ્થાનિક સગઠન તરફથી તેઓની સતત અવગના થતી હોય તે અંગેની વારંવાર સક્ષમ કક્ષાએ રજૂઆત કરેલ હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હતું જેથી તેઓએ પોતાના પદ અને કોંગ્રેસનાં સભ્ય પદેથી રાજીનામું આપી દીધેલ છે.






Latest News