મોરબીમાં બોગસ ડૉક્યુમેન્ટ આધારે સીમકાર્ડ વેચવાના ગુનામાં પકડાયેલ ૫ આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી મહાપાલિકામાંથી વિવિધ દાખલા કઢાવવા માટે ઝોન વાઈઝ કામગીરી શરૂ કરવા કોંગ્રેસની માંગ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને મોરબીમાં સિરામિક સહિતના એસો.ના આગેવાનોની બેઠક મળી મોરબીના નમો વનની વન-પર્યાવરણ મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી કાર્બન ઉત્સર્જન સામે મોરબીમાં ઉદ્યોગો મોટા પાયે વૃક્ષારોપણ કરે, પ્રશ્નોનો માત્ર નિકાલ નહીં પણ ઉકેલ લાવવા રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની અધિકારીઓને ટકોર મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ભૂદેવોએ સમૂહમાં યજ્ઞોપવિત બદલાવી


SHARE











મોરબીમાં ભૂદેવોએ સમૂહમાં યજ્ઞોપવિત બદલાવી

રક્ષાબંધનના દિવસે મોરબીમાં સમૂહમાં ભૂદેવો ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે યજ્ઞોપવિત બદલી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે મોરબીના જુદાજુદા વિસ્તારમાં રહેતા ભૂદેવો ત્યાં આવ્યા હતા અને પૂજનતર્પણ સહીતની વિધિ કર્યા બાદ સમૂહમાં જનોઈ બદલાવી હતી.

મોરબીમાં રહેતા જ્યોતિષી મહામહોપાધ્યાય શાસ્ત્રી વિપુલભાઈ શુક્લે જણાવ્યુ હતું કે, શનિવારે રક્ષાબંધનના દિવસે મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ માટે ઔદીચ્ય બ્રહ્મ સમાજની વાડી વાંકાનેર દરવાજા ખાતે નૂતન યજ્ઞોપવિત ધારણવિધિપૂજન,તર્પણ સહીત શ્રાવણી કર્મનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં રહેતા ઘણા ભૂદેવો જોડાયા હતા અને આ શ્રાવણી પર્વ એટલે ભૂદેવોની દિવાળી કહેવાય છે માટે મોરબીના સમસ્ત બ્રાહ્મણોએ સમૂહમાં જનોઈ બદલાવી હતી. અને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી.






Latest News