મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તિરંગાનું વિતરણ, નાની બરારમાં એક પેડ માં કે નામનો કાર્યક્રમ યોજાયો: હળવદમાં શિક્ષકનું કરાયું સન્માન


SHARE













મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તિરંગાનું વિતરણ, નાની બરારમાં એક પેડ માં કે નામનો કાર્યક્રમ યોજાયો: હળવમાં શિક્ષકનું કરાયું સન્માન

મોરબીમાં ૧૫ મી ઓગસ્ટ સ્વતંત્ર્ય પર્વ પર હર ઘર તિરંગા અભિયાન હેઠળ ઠેરઠેર તિરંગાનું વિતરણ અને વિવિધ પ્રવૃત્તિઓથી લોકોમાં દેશદાઝની ભાવના જાગૃત કરવામાં આવી રહી છે. ત્યારે ક્રાંતિકારી વિચારોને વરેલું અને દેશસેવા માટે સમર્પિત મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપે પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયને લોકોમાં દેશપ્રેમ જાગૃત કરીને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી.જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઇ રબારી તથા ટિમ દ્રારા ૧૫ ઓગસ્ટના સ્વતંત્રતા પર્વની આજે પૂર્વ સંધ્યાએ મોટાભાગના માર્ગો સહિત શહેરના ખૂણે ખૂણે ફરીને લોકોના હૃદયસ્થાન જ્યાં હોય તે શર્ટના ખિસ્સા પર ગૌરવરૂપ રાષ્ટ્રચિન્હ લગાવીને દેશના એક આદર્શ નાગરિક બનીને રાષ્ટ્ર પ્રત્યેની તમામ ફરજો નિભાવવાનો સંદેશ આપ્યો હતો.

સંજયકુમાર બાપોદરિયાનું સ્નમાન

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હળવદ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના ૭૯ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતમાં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ ૨૦૨૫ માં બાળસાહિત્ય ક્ષેત્રે દ્વિતીય પુરસ્કાર મેળવવા બદલ વ્યક્તિ વિશેષ તરીકે ગૌશાળા પ્રાથમિક શાળા- મોરબીના મદદનીશ શિક્ષક સંજયકુમાર બાપોદરિયાનું હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના હસ્તે સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતુ.

માળિયા તાલુકાની નાની બરાર તાલુકા શાળામાં "એક પેડ માં કે નામ" કાર્યક્રમ યોજાયો

 અહિંના નાની બરાર તાલુકા શાળામાં સ્વતંત્રતા દિવસના પાવન પર્વ નિમિતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સુંદર પહેલ 'એક પેડ માં કે નામ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જે અંતર્ગત બે તબક્કામાં વિધાર્થીઓને રોપાઓનું વિતરણ અને વાવેતર કરવામાં આવ્યું. પ્રથમ તબ્બકામાં ૪૫ રોપાનું વાવેતર કરવામાં આવ્યું અને બીજા ૩૫ રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ રીતે એક બાળ એક ઝાડના ઉત્તમ વિચારને ચરિતાર્થ કરતા દરેક વિધાર્થીને રોપા આપવામાં આવ્યા હતા. વિધાર્થીઓએ એમની માતા સાથે વૃક્ષોનું વાવેતર કર્યું હતું અને ધરતી માતા પ્રત્યેની પોતાની ફરજ અદા કરી હતી. આ કાર્યક્રમમાં ગામના સરપંચ પ્રભાતભાઈ બકુત્રા, માળિયા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જીગ્નેશભાઈ ડાંગર, ગામના નિવૃત શિક્ષકો અને બહોળી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શાળાના આચાર્ય રાકેશભાઈ ફેફર દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી




Latest News