મોરબીમાં દુધપાક સાથે ભરપેટ ભોજન કરાવી શ્રાવણ માસના છેલ્લા સોમવારની ઉજવણી કરતુ યંગ ઇન્ડિયા ગ્રુપ સુવિધા કે દુવિધા : મોરબીવાસીઓને હવે વાહન પાર્કિંગનો પણ ચાર્જ આપવો પડશે...? માળીયા (મી) બોગસ ખેડૂત ખાતેદાર કાંડમાં પકડાયેલ પત્રકાર અતુલ જોશી જેલ હવાલે, જમીનનો ઓરીજનલ દસ્તાવેજ કબ્જે કર્યો, હસ્તાક્ષર-સહિના નમૂના FSL માં મોકલાશે: કે.કે.જાડેજા મોરબી: નેતાજી સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથિને ક્રાંતિકારી સેના દ્વારા ગુમનામી દિવસ તરીકે મનાવાયો પદ્મશ્રી શાહાબુદ્દીન રાઠોડની મોરબીના સાહિત્યપ્રેમીઓએ મુલાકાત લઈને કર્યું સન્માન શ્રાવણ માસના છેલ્લા સોમવારે વાંકાનેરના પ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ મંદિરે જડેશ્વર દાદાની પાલખી યાત્રા યોજાઇ: 101 વર્ષથી સજનપરનો વસંત પરિવાર કરે છે ભંડારો હળવદના જુના દેવળીયા ગામે સાથે ફરવાની ના કહેતા યુવાન અને તેના પરિવાર ઉપર ત્રણ શખ્સોએ કર્યો ધારિયા-ધોકા વડે હુમલો મોરબીના પાવળીયારી પાસે કારખાનાના ક્વાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત: લાલપર નજીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

પદ્મશ્રી શાહાબુદ્દીન રાઠોડની મોરબીના સાહિત્યપ્રેમીઓએ મુલાકાત લઈને કર્યું સન્માન


SHARE















પદ્મશ્રી શાહાબુદ્દીન રાઠોડની મોરબીના સાહિત્યપ્રેમીઓએ મુલાકાત લઈને કર્યું સન્માન

પદ્મશ્રી શાહાબુદ્દીન રાઠોડ, જાણીતા ગુજરાતી લેખક, હાસ્યકાર અને વાર્તાકાર, શિક્ષક તરીકે પ્રસિદ્ધ છે. તેમને સાહિત્ય અને કલા ક્ષેત્રે તેમના અગાધ યોગદાન માટે ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ મળ્યા બાદ તેમની સાથે મોરબીના યુવાનો એડવોકેટ મિતેષભાઈ દવે, એડવોકેટ દર્શનભાઈ દવે, લેખક પરમભાઈ જોલાપરા અને જીતભાઈ નિમાવત તેમજ થાનગઢ સ્થાનિક એડવોકેટ કે.કે.પરમારે કરેલ મુલાકાત અત્યંત પ્રેરણાદાયી રહી.

મુલાકાત દરમ્યાન શાહાબુદ્દીન રાઠોડે ગુજરાતી ભાષા, લોકસાહિત્ય, હાસ્ય અને સમાજના વાંચન-મંચ-કાર્ય વિશે પોતાના અમૂલ્ય વિચારો વહેંચ્યા. તેમણે જણાવ્યું હતું કે હાસ્યમય વર્તનથી જીવનમાં આશાવાદ, સંસ્કાર અને એકતા પેદા થાય છે. પદ્મશ્રી જેવા રાષ્ટ્રીય પુરસ્કારે સર્જનાત્મક શિક્ષણ અને સમાજ સેવા માટે નવી ઊર્જા આપે છે, એમ તેમની ભાવનાઓમાં સ્પષ્ટતા હતી. તો પરમભાઈ જોલાપરા દ્વારા પૂછેલા પ્રશ્નોના જવાબમાં તેમણે ગુજરાતનાં સર્જકોને દેશ-વિદેશમાં માન-સન્માન મળે તેવા પ્રયત્નો જરૂરી છે કહીને યુવાવર્ગને વાંચન અને સર્જન માટે પ્રોત્સાહિત કર્યા. સમગ્ર મુલાકાત આનંદપૂર્ણ, જીવંત અને ઉત્સાહજનક રહી. આ રીતે પદ્મશ્રી શાહાબુદ્દીન રાઠોડ સાથેની મુલાકાત માં થાનગઢના નામાંકિત વકીલ કે.કે.પરમાર સાહેબ, મોરબીના યુવા વકીલો દર્શનભાઈ દવે, મિતેશભાઈ દવે તથા જીતભાઈ નિમાવત સાથે રહ્યા હતા.




Latest News