મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

શ્રાવણ માસના છેલ્લા સોમવારે વાંકાનેરના પ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ મંદિરે જડેશ્વર દાદાની પાલખી યાત્રા યોજાઇ: 101 વર્ષથી સજનપરનો વસંત પરિવાર કરે છે ભંડારો


SHARE













શ્રાવણ માસના છેલ્લા સોમવારે વાંકાનેરના પ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ મંદિરે જડેશ્વર દાદાની પાલખી યાત્રા યોજાઇ: 101 વર્ષથી સજનપરનો વસંત પરિવાર કરે છે ભંડારો

 શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે ત્યારે મોરબી જિલ્લાના દરેક શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે. તેવી જ રીતે વાંકાનેર તાલુકામાં રતન ટેકરી ઉપર સ્વયંભૂ જડેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે તે મંદિરમાં આજે સવારે જડેશ્વર દાદાની પાલખી યાત્રા નીકળી હતી જેમાં શિવભક્તો જોડાયા હતા અને શિવજીના પૂજન, દર્શન અને પ્રસાદનો લાભ લીધેલ હતો. અને મૂળ સજનપરનો વસંત પરિવાર છેલ્લા 101 વર્ષથી જડેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ મહિનામાં એક દિવસ ભંડારો કરવા માટે આવે છે.

વાંકાનેર તાલુકામાં આવેલ રતન ટેકરી ઉપર જડેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે અને જડેશ્વર મહાદેવ મંદિરના મહંત રતિભાઈ ત્રિવેદીએ જણાવ્યુ  હતું કે, આ મંદિરનો ઇતિહાસ જામનગરના રાજા જામ રાવળનો જન્મ સાથે સંકળાયેલો છે. અને અહી શ્રાવણ માહિનામાં ભક્તોની ભીડ જોવા મળે છે જો કે, શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે આજે અનેક શિવભક્તો શિવજીના પૂજન અને દર્શન માટે આવ્યા હતા અને ખાસ કરીને શ્રાવણ મહિનાના દરેક સોમવારે જડેશ્વર દાદાની પાલખી યાત્રા નીકળે છે તેવી જ રીતે આજે પણ જડેશ્વર દાદાની પાલખી યાત્રા નીકળી હતી જેમાં શિવભક્તો જોડાયા હતા 

જડેશ્વર મંદિરના લઘુમહંત જીતુભાઇ ત્રિવેદીએ જણાવ્યુ છે. દર વર્ષે શ્રાવણ મહિનામાં અહી દેશભરમાંથી શિવભક્તો દર્શન કરવા માટે આવે છે તેમજ ભૂદેવો દાદાની સેવ પૂજા કરવા માટે આવે છે તેના માટે રહેવા, જમવા સહિતની સુવિધાઑ દાતાના સહયોગથી કરવામાં આવેલ છે. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, શ્રાવણ માસ દરમિયાન જડેશ્વર દાદા ના દર્શન કરવા માટે થઈને સમગ્ર ભારત દેશમાંથી લોકો આવતા હોય છે ત્યારે ટંકારા તાલુકાના સજનપર ગામનો પરિવાર કે જેમની પાંચમી પેઢી આજે જડેશ્વર મહાદેવ મંદિર ખાતે ભંડારો કરવા માટે થઈને આવે છે.

જે વસંત પરિવાર દ્વારા ભંડારો કરવામાં આવ્યો હતો તેમના કહેવા મુજબ વર્ષો પહેલા તેઓના વડવાઓ એટલે કે, સ્વ. વિરચંદભાઇ વાલજીભાઇ વસંત દ્વારા સૌ પ્રથમ જડેશ્વર દાદા ના મંદિરે ભંડારો કર્યો હતો ત્યારબાદ થી સતત 101 વર્ષથી એટલે કે 1924 થી તેઓએ પ્રથમ ભંડારો કર્યા બાદ દર વર્ષે શ્રાવણ માસમાં એક દિવસ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે તેઓના પરિવાર દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવે છે જેનો ભૂદેવો સહિત હજારો લોકો લાભ લેતા હોય છે 

હાલમાં આ વસંત પરિવાર નાસિક, પાંચોરા અને ઉજ્જૈન બાજુ પોતાના ધંધા વ્યવસાય માટે થાય થયેલ છે અને ભંડારો કરવા માટે તે ખાસ ત્યાંથી આખો પરિવાર શ્રાવણ મહિનામાં જડેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચ્યે છે અને ત્યાં ભંડારો કરીને તેઓના વડવાઓએ શરૂ કરેલ પરંપરાને જાળવી રાખે છે




Latest News