મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

માળીયા (મી) બોગસ ખેડૂત ખાતેદાર કાંડમાં પકડાયેલ પત્રકાર અતુલ જોશી જેલ હવાલે, જમીનનો ઓરીજનલ દસ્તાવેજ કબ્જે કર્યો, હસ્તાક્ષર-સહિના નમૂના FSL માં મોકલાશે: કે.કે.જાડેજા


SHARE













માળીયા (મી) બોગસ ખેડૂત ખાતેદાર કાંડમાં પકડાયેલ પત્રકાર અતુલ જોશી જેલ હવાલે, જમીનનો ઓરીજનલ દસ્તાવેજ કબ્જે કર્યો, હસ્તાક્ષર-સહિના નમૂના FSL માં મોકલાશે: કે.કે.જાડેજા

માળીયા (મી) તાલુકાના બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં પકડાયેલ આરોપી પત્રકાર અતુલ જોશીના 6 દિવસના રિમાન્ડ પૂરા થતાં તપાસનીસ અધિકારી દ્વારા તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને વધુમાં તપાસનીસ અધિકારી પાસેથી જાણવા મળતી માહિતી મુજબ રિમાન્ડ દરમ્યાન આરોપીને સાથે રાખીને હળવદ મામલતદાર કચેરીમાંથી બોગસ ખેડૂત ખાતેદાર બનવા માટે કરવામાં આવેલ વારસાઇની નોંધ સહિત કુલ મળીને ત્રણ મહત્વની નોંધની ઓરીજનલ ફાઇલ કબ્જે કરેલ છે તેમજ જમીનનો ઓરીજનલ દસ્તાવેજ કબ્જે કરવામાં આવેલ છે આટલુ જ નહીં આરોપીના હસ્તાક્ષર અને સહિના નમૂના પણ લેવામાં આવેલ છે જેને તપાસના કામે એફએસએલમાં મોકલાવવામાં આવશે.

માળિયા (મી)ના સરવડ ગામના હાલના તલાટી મંત્રીએ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશ પ્રભાશંકર રાવલ તથા બોગસ વારસાઈ આંબો બનાવનારબોગસ સોગંદનામુ બનાવનાર તથા બોગસ ખેડૂત ખાતેદાર બનેલ અને તેમાં મદદ કરનારની સામે ફરિયાદ કરી હતી જે ગુનાની તપાસ હાલમાં રાજકોટ ગ્રામ્ય સીઆઇડીના પીઆઇ ચલાવી રહ્યા છે અને આ ગુનામાં અગાઉ બે આરોપી સરવડના તત્કાલીન તલાટી મંત્રી ભરત ખોખર અને સાગર ફૂલતરિયાને પકડ્યા હતા તે બંને મોરબીની જેલમાં છે જો કે, છેલ્લે આ ગુનામાં તપાસનીસ અધિકારી પીઆઇ કે.કે.જાડેજા અને તેની ટિમ દ્વારા આરોપી તરીકે પત્રકાર અતુલ જોશીને પકડવામાં આવ્યો હતો અને કોર્ટમાં રજૂ કરીને તેના 6 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ સોમવારે પૂરા થતાં પોલીસે તેને કોર્ટમાં રજૂ કરીને મોરબીની સબ જેલ હવાલે કરેલ છે.

વધુમાં તપાસનીસ અધિકારી પીઆઇ કે.કે.જાડેજા પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ રિમાન્ડ દરમ્યાન આરોપી અતુલ જોશીને સાથે રાખીને હળવદની મામલતદાર કચેરીએ તપાસ માટે ટિમ પહોચી હતી અને હળવદ તાલુકાનાં ખોડ ગામે આવેલ ખેતીની જમીનમાં પાડવામાં આવેલ જુદીજુદી ત્રણ નોંધની ઓરીજનલ ફાઈલને તપાસના કામે કબ્જે કરવામાં આવેલ છે. જો કે, એક નોંધની ઓરીજનલ ફાઇલને અગાઉ તપાસના કામે કબ્જે લઈ લેવામાં આવી હતી. હાલમાં આરોપી પાસેથી જમીનનો અસલ દસ્તાવેજ પણ કબ્જે કર્યો છે અને તેના સહી અને હસ્તાક્ષરના નમૂના લેવામાં આવેલ છે જેને આગામી દિવસોમાં તપાસના કામે એફએસએલમાં મોકલાવવામાં આવશે.

હળવદ મામલતદાર કચેરીમાંથી મળતી માહિતી મુજબ હાલમાં જેની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી તે મૃતક મહેશભાઇ રાવલ અને તેના ભત્રીજા તેમજ ભત્રીજીના નામે ખેતીની જમીન ખોડ ગામે આવેલ હતી. જેમાં બોગસ વારસાઈ આંબો મેળવીને તેના આધારે જે મહિલા મહેશભાઇ રાવલની દીકરી જ ન હતી તેને દીકરી તરીકે બતાવીને રેવન્યુ રેકર્ડમાં તે મહિલાને મૃતક મહેશભાઇ રાવલ દ્રારા વારસદાર બનાવમાં આવી હતી. આ કૌભાંડની તપાસ સીઆઇડીની ટીમ કરી રહી છે અને જો ઊંડાણ પૂર્વકની તપાસ કરવામાં આવે તો આ કાંડમાં પણ અધિકારીની પણ સંડોવણી સામે આવે તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે.




Latest News