મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબી ઓમ શાંતિ વિદ્યાલયના ૪૦૦ વિદ્યાર્થીઓએ નશામુક્તિ જાગૃતિની લીધી પ્રતિજ્ઞા રહસ્યમય કૂવો: મોરબીના વિરપરડા ગામે પ્રથમ વખત ભરાયેલ નવા કૂવાનું પાણી હાલકડોલક થતાં અફવા-અંધશ્રધ્ધા ફેલાઈ વાંકાનેરના જુના વઘાસીયા ગામે બંધ મકાનના તાળા તોડી દાગીના-રોકડ મળી 1.71 લાખના મુદ્દામાની ચોરી મોરબી રફાળેશ્વર ગામ પાસે કાર ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા 3 યુવાન સારવારમાં વાંકાનેરમાં રોંગ સાઇડમાં ડબલ સવારી એક્ટિવા લઈ જવાની ના કહેતા હેડ કોન્સ્ટેબલને જાનથી મારી નાખવાની ધમકી: બે સામે ફરિયાદ વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા 5 પકડાયા વાંકાનેરના મેસરિયા ગામે ઘરે સુતેલા યુવાનને ઝેરી જનાવર કરડી જતાં સારવાર મળે તે પહેલ જ મોત
Breaking news
Morbi Today

મોરબી સિટી મામલતદાર કચેરીમાં રેશનકાર્ડની કામગીરી શરૂ કરવા રમેશભાઈ રબારીની માંગ


SHARE







મોરબી સિટી મામલતદાર કચેરીમાં રેશનકાર્ડની કામગીરી શરૂ કરવા રમેશભાઈ રબારીની માંગ

મોરબીમાં રેશનકાર્ડ અને તેના આનસંગિક જરૂરી કામકાજ માટે હાલમાં લાલબાગમાં સુધી જવું પડે છે જો કે, મોરબીમાં છેલ્લા ઘણા સમયથી શહેર અને તાલુકા મામલતદાર કાચેરી અલગ કરી નાખવામાં આવી છે પરંતુ આજની તારીખે પણ લોકોને રેશનકાર્ડ કામગીરી માટે સામાકાંઠે જવું પડે છે જેથી લોકોને હેરાન થવું પડે છે માટે આ હાલાકીને દૂર કરવાની માંગ કરવામાં આવી છે

મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ માલધારી સેલના માજી ઉપપ્રમુખ રમેશભાઈ રબારી દ્વારા હાલમાં કલેક્ટરને લેખિત રજૂઆત કરેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, મોરબી સિટી મામલતદાર કચેરી અલગ કરવામાં આવી છે જો કે, રેશનકાર્ડની કામગીરી માટે લોકોને તાલુકા મામલતદાર કચેરીએ જ જવું પડે છે જેથી ત્યાં ગીર્દી થાય છે અને અજદરારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આટલું જ નહીં સરકારી તંત્રમાં પણ જવાબદાર લોકો દ્વારા યોગ્ય પ્રતિભાવ મળતો નથી ત્યારે મોરબી શહેરનાં લાભાર્થીઓ માટેની કાર્યવાહી શહેર મામલતદાર કચેરી વી.સી. ફાટક કચેરીમાં આવેલ છે ત્યાં રેશનકાર્ડની કામગીરી કરી શકાય તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ કરેલ છે

જો તાલુકા અને શહેરની અલગ વ્યવસ્થા કરવામાં આવે તો શહેરી વિસ્તારનાં લાભાર્થીઓની સગવડતામાં વધારો થાય તેમ છે અને લોકોને લાલબાગના ધકકા થાય છે તે બંધ થઈ જાય તેમ છે અને પુરવઠા વિભાગ અનાજ વિક્રેતાઓને પણ નિયમ મુજબ પુરવઠો આપતો નથી દસ કિલોની બદલીમાં આઠ કિલો અને વીસ કિલોની જગ્યાએ ચૌદ કિલો અનાજ અપાય છે અને તેની પહોંચ પણ આપતા ન હોઈ, લાભાર્થીઓ સાથે છેતરપીંડી થાય છે જેની પણ ચકાસણી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી કરેલ છે અને લાભાર્થીઓને અનાજ મેળવવા માટે જરૂરી અંગુઠા લેવા બબ્બે ત્રણ-ત્રણ દિવસ ધકકા થાય છે તે હાલાકીને પણ દૂર કરવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News