જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામ પાસે દિવ્યંગ દર્દીઓની નિશુલ્ક સારવાર માટે બનનાર અદ્યતન હોસ્પિટલનું ધારાસભ્યની હાજરીમાં કરાયું ભૂમિપૂજ્ન


SHARE











મોરબીના પીપળી ગામ પાસે દિવ્યંગ દર્દીઓની નિશુલ્ક સારવાર માટે બનનાર અદ્યતન હોસ્પિટલનું ધારાસભ્યની હાજરીમાં કરાયું ભૂમિપૂજ્ન

મોરબી સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં દિવ્યાંગો દર્દીઓને ઓપરેશન અને સારવાર માટે રાજસ્થાન જવું પડે છે જો કે, મોરબીમાં જ ઘર આંગણે દર્દીઓને રાજસ્થાન જેવી જ સારવાર મળે તેના માટે હોસ્પિટલ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે મોરબીના ધારાસભ્ય સહિતના રાજકીય અને સામાજિક આગેવાનોની હાજરીમાં ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. અને સેવાના આ કામમાં દાતાઓનો ખૂબ સહકાર મળશે તેવો વિશ્વાસ ધારાસભ્યએ વ્યક્ત કર્યો હતો.

રાજસ્થાનના જયપુર ખાતે આવેલ જાણીતી સેવાભાવી નારાયણ સેવા સંસ્થાના ઉપક્રમે મોરબીમાં દિવ્યાંગો માટે પીપળી ગામ પાસે અધતન હોસ્પિટલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને માનવ સેવા એજ્યુકેશન દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટના ઘનશ્યામસિંહ ઝાલા અને તેઓની ટિમ દ્વારા આ સેવાનું કામ કરવામાં આવી રહ્યું છે તેના માટે મોરબીના ભમાશાઓ સહિતાઓની તરફથી સહકાર મળી રહ્યો છે તેવામાં આજે પીપળી ગામે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જયંતીભાઈ ભાડેશિયા, મેઘરાજસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો, સરપંચો વિગેરેની હાજરીમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે, નારાયણ સેવા સંસ્થાના સંચાલકો દ્વારા દિવ્યાંગોની ખૂબ જ સારી સારવાર કરવામાં આવી રહી છે જેથી કરીને મોરબીના અનેક ઉદ્યોગકારો સહિતનાઓ તરફથી આ સંસ્થામાં આજની તારીખે દર વર્ષે લાખો રુપિયાનું દાન આપવામાં આવી રહ્યું છે અને મોરબીના આંગણે જે અદ્યતન હોસ્પિટલ બનાવ જઈ રહી છે તેમાં પણ મોરબી સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં દાતાઓ અને ભમશા તરફથી સહકાર મળશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. 

અંતમાં ઘનશ્યામસિંહ ઝાલાએ જણાવ્યુ હતું કે, મોરબી સહિત ગુજરાતભરના દર્દીઓને સારવાર માટે રાજસ્થાન સુધી જવું પડે છે જેથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે જેથી કરીને મોરબીના આંગણે દિવ્યાંગોની સારવાર અને ઓપરેશન કરી શકાય તેવી અદ્યતન હોસ્પિટલ બનાવવા માટેનો સંકલ્પ કર્યો હતો અને દાતાઓ તરફથી તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો તરફથી ખુબ જ સારો સહકાર અને દાન મળી રહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, આ હોસ્પિટલમાં કોઈ કેસ કાઉન્ટર હશે જ નહીં. દરેક દર્દીને કૃત્રિમ હાથ પગ ફિટ કરવાથી લઈને તમામ સારવાર નિશુલ્ક આપવામાં આવશે.






Latest News