મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામ પાસે દિવ્યંગ દર્દીઓની નિશુલ્ક સારવાર માટે બનનાર અદ્યતન હોસ્પિટલનું ધારાસભ્યની હાજરીમાં કરાયું ભૂમિપૂજ્ન


SHARE













મોરબીના પીપળી ગામ પાસે દિવ્યંગ દર્દીઓની નિશુલ્ક સારવાર માટે બનનાર અદ્યતન હોસ્પિટલનું ધારાસભ્યની હાજરીમાં કરાયું ભૂમિપૂજ્ન

મોરબી સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં દિવ્યાંગો દર્દીઓને ઓપરેશન અને સારવાર માટે રાજસ્થાન જવું પડે છે જો કે, મોરબીમાં જ ઘર આંગણે દર્દીઓને રાજસ્થાન જેવી જ સારવાર મળે તેના માટે હોસ્પિટલ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે મોરબીના ધારાસભ્ય સહિતના રાજકીય અને સામાજિક આગેવાનોની હાજરીમાં ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. અને સેવાના આ કામમાં દાતાઓનો ખૂબ સહકાર મળશે તેવો વિશ્વાસ ધારાસભ્યએ વ્યક્ત કર્યો હતો.

રાજસ્થાનના જયપુર ખાતે આવેલ જાણીતી સેવાભાવી નારાયણ સેવા સંસ્થાના ઉપક્રમે મોરબીમાં દિવ્યાંગો માટે પીપળી ગામ પાસે અધતન હોસ્પિટલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને માનવ સેવા એજ્યુકેશન દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટના ઘનશ્યામસિંહ ઝાલા અને તેઓની ટિમ દ્વારા આ સેવાનું કામ કરવામાં આવી રહ્યું છે તેના માટે મોરબીના ભમાશાઓ સહિતાઓની તરફથી સહકાર મળી રહ્યો છે તેવામાં આજે પીપળી ગામે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જયંતીભાઈ ભાડેશિયા, મેઘરાજસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો, સરપંચો વિગેરેની હાજરીમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે, નારાયણ સેવા સંસ્થાના સંચાલકો દ્વારા દિવ્યાંગોની ખૂબ જ સારી સારવાર કરવામાં આવી રહી છે જેથી કરીને મોરબીના અનેક ઉદ્યોગકારો સહિતનાઓ તરફથી આ સંસ્થામાં આજની તારીખે દર વર્ષે લાખો રુપિયાનું દાન આપવામાં આવી રહ્યું છે અને મોરબીના આંગણે જે અદ્યતન હોસ્પિટલ બનાવ જઈ રહી છે તેમાં પણ મોરબી સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં દાતાઓ અને ભમશા તરફથી સહકાર મળશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. 

અંતમાં ઘનશ્યામસિંહ ઝાલાએ જણાવ્યુ હતું કે, મોરબી સહિત ગુજરાતભરના દર્દીઓને સારવાર માટે રાજસ્થાન સુધી જવું પડે છે જેથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે જેથી કરીને મોરબીના આંગણે દિવ્યાંગોની સારવાર અને ઓપરેશન કરી શકાય તેવી અદ્યતન હોસ્પિટલ બનાવવા માટેનો સંકલ્પ કર્યો હતો અને દાતાઓ તરફથી તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો તરફથી ખુબ જ સારો સહકાર અને દાન મળી રહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, આ હોસ્પિટલમાં કોઈ કેસ કાઉન્ટર હશે જ નહીં. દરેક દર્દીને કૃત્રિમ હાથ પગ ફિટ કરવાથી લઈને તમામ સારવાર નિશુલ્ક આપવામાં આવશે.






Latest News