સિલેક્શન નહીં ઇલેક્શન નિશ્ચિત: મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝનના વર્તમાન પ્રમુખ બનવા માટે 3 ઉમેદવારો મેદાનમાં મોરબીમાં ઇમ્પેક્ટ ફીના કાયદા હેઠળ ૧૨૪ બાંધકામો રેગ્યુલરાઇઝ કરાયા: ૫૦ બાંધકામોની અરજી મંજૂર મોરબીમાં સ્કૂલ બસના ચાલકે બાઇકને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં ૯.૩૩ લાખનું વળતર વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા આદેશ મોરબીમાં યુવાનની હત્યા કરીને પુરવાનો નાશ કરવા લાશને સળગાવી દેવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ વાંકાનેરના ભેરડા નજીક બેલા પથ્થરની ખાણની ઓરડીમાંથી કોપર વાયર સહિત 1.94 લાખના મુદામાલની ચોરીના ગુનામાં ચાર આરોપી પકડાયા મોરબીની સબ જેલમાં મોબાઈલ સહિત પ્રતિબંધિત વસ્તુ ઘુસાડવાના મામલે અજાણ્યા કેદી સહિત તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધાયો હળવદના ગોલાસણ ગામ નજીક ટ્રેક્ટરનો ઓવરટેક કરવા જતા સમયે ડબલ સવારી બાઇક સ્લીપ થતા પાછળ બેઠેલો યુવાન નીચે પટકાતા ટ્રોલીનું ટાયર ફરી જવાથી યુવાનનું મોત મોરબીમાં માવતરના ઘરે રહેતી પરણીતાને પતિ સહિતના છ સાસરિયાંઓ કરિયાવર બાબતે ત્રાસ
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામ પાસે દિવ્યંગ દર્દીઓની નિશુલ્ક સારવાર માટે બનનાર અદ્યતન હોસ્પિટલનું ધારાસભ્યની હાજરીમાં કરાયું ભૂમિપૂજ્ન


SHARE













મોરબીના પીપળી ગામ પાસે દિવ્યંગ દર્દીઓની નિશુલ્ક સારવાર માટે બનનાર અદ્યતન હોસ્પિટલનું ધારાસભ્યની હાજરીમાં કરાયું ભૂમિપૂજ્ન

મોરબી સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં દિવ્યાંગો દર્દીઓને ઓપરેશન અને સારવાર માટે રાજસ્થાન જવું પડે છે જો કે, મોરબીમાં જ ઘર આંગણે દર્દીઓને રાજસ્થાન જેવી જ સારવાર મળે તેના માટે હોસ્પિટલ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે મોરબીના ધારાસભ્ય સહિતના રાજકીય અને સામાજિક આગેવાનોની હાજરીમાં ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. અને સેવાના આ કામમાં દાતાઓનો ખૂબ સહકાર મળશે તેવો વિશ્વાસ ધારાસભ્યએ વ્યક્ત કર્યો હતો.

રાજસ્થાનના જયપુર ખાતે આવેલ જાણીતી સેવાભાવી નારાયણ સેવા સંસ્થાના ઉપક્રમે મોરબીમાં દિવ્યાંગો માટે પીપળી ગામ પાસે અધતન હોસ્પિટલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને માનવ સેવા એજ્યુકેશન દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટના ઘનશ્યામસિંહ ઝાલા અને તેઓની ટિમ દ્વારા આ સેવાનું કામ કરવામાં આવી રહ્યું છે તેના માટે મોરબીના ભમાશાઓ સહિતાઓની તરફથી સહકાર મળી રહ્યો છે તેવામાં આજે પીપળી ગામે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જયંતીભાઈ ભાડેશિયા, મેઘરાજસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો, સરપંચો વિગેરેની હાજરીમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે, નારાયણ સેવા સંસ્થાના સંચાલકો દ્વારા દિવ્યાંગોની ખૂબ જ સારી સારવાર કરવામાં આવી રહી છે જેથી કરીને મોરબીના અનેક ઉદ્યોગકારો સહિતનાઓ તરફથી આ સંસ્થામાં આજની તારીખે દર વર્ષે લાખો રુપિયાનું દાન આપવામાં આવી રહ્યું છે અને મોરબીના આંગણે જે અદ્યતન હોસ્પિટલ બનાવ જઈ રહી છે તેમાં પણ મોરબી સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં દાતાઓ અને ભમશા તરફથી સહકાર મળશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. 

અંતમાં ઘનશ્યામસિંહ ઝાલાએ જણાવ્યુ હતું કે, મોરબી સહિત ગુજરાતભરના દર્દીઓને સારવાર માટે રાજસ્થાન સુધી જવું પડે છે જેથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે જેથી કરીને મોરબીના આંગણે દિવ્યાંગોની સારવાર અને ઓપરેશન કરી શકાય તેવી અદ્યતન હોસ્પિટલ બનાવવા માટેનો સંકલ્પ કર્યો હતો અને દાતાઓ તરફથી તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો તરફથી ખુબ જ સારો સહકાર અને દાન મળી રહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, આ હોસ્પિટલમાં કોઈ કેસ કાઉન્ટર હશે જ નહીં. દરેક દર્દીને કૃત્રિમ હાથ પગ ફિટ કરવાથી લઈને તમામ સારવાર નિશુલ્ક આપવામાં આવશે.




Latest News