મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા ૦૧ સપ્ટેમ્બર સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ રહેશે
મોરબીમાં આકાશી વીજળીથી અવસાન પામેલ મૃતકના પત્નીને ૪ લાખની સહાય અર્પણ
SHARE
મોરબીમાં આકાશી વીજળીથી અવસાન પામેલ મૃતકના પત્નીને ૪ લાખની સહાય અર્પણ
મોરબીમાં તાજેતરમાં આકાશી વીજળી પડવાથી અવસાન પામેલા મુકેશભાઈના વારસદારને સરકાર દ્વારા આપત્તિ વ્યવસ્થાપન હેઠળ ચાર લાખની સહાય આપવામાં આવી છે.
તાજેતરમાં મોરબી તાલુકાના સોખડા ગામે આકાશી વીજળી પડવાની ઘટના બની હતી. આ ઘટનાને પગલે સોખડા ગામના મુકેશભાઈ નરભેરમ સુરેલાનું દુઃખદ અવસાન થયું હતું. આપત્તિ વ્યવસ્થાપન હેઠળ તેમના વારસદારને સહાયરૂપ બનવાના ભાગરૂપે મુકેશભાઈ સુરેલાના પત્નીશ્રી ચંદ્રિકાબેન મુકેશભાઈ સુરેલાને મોરબી તાલુકા વિકાસ અધિકારી પીઠાભાઈ ડાંગર દ્વારા રૂ. ૪ લાખનો સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.