વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી: બીજામૃતથી બીજની શક્તિ વધારો, બીજથી લઈને પાક સુધીની સફળ ખેતી


SHARE











મોરબી: બીજામૃતથી બીજની શક્તિ વધારો, બીજથી લઈને પાક સુધીની સફળ ખેતી

પ્રાકૃતિક ખેતી એ આજના સમયમાં ટકાઉ અને પર્યાવરણલક્ષી ખેતીનું એક મહત્વનું સ્વરૂપ છે, જેમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ટાળીને કુદરતી રીતે પાકનું ઉત્પાદન કરવામાં આવે છે. આ પદ્ધતિમાં બીજામૃત એક અગત્યનું તત્વ છે, જે બીજની ગુણવત્તા અને પાકની ઉત્પાદકતા વધારવામાં મદદ કરે છે.

બીજામૃત એ પ્રાકૃતિક ખેતીમાં બીજની શક્તિ, અંકુરણ ક્ષમતા અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તે ગાયના ગૌમૂત્ર, ગાયનું છાણ, ચૂનો અને અન્ય કુદરતી ઘટકોના મિશ્રણથી બનાવવામાં આવે છે. આ દ્રાવણ બીજને વાવતા પહેલાં તેની સપાટી પર લગાડવામાં આવે છે, જેથી બીજ રોગો અને જીવાતોથી સુરક્ષિત રહે અને તેનું અંકુરણ ઝડપી થાય. બીજામૃત બનાવવું ખૂબ જ સરળ અને બિન ખર્ચાળ છે.

બીજામૃત બનાવવા માટે ૫ લિટર દેશી ગાયનું ગૌમૂત્ર, ૫ કિગ્રા દેશી ગાયનું તાજું છાણ, ૨૫૦ ગ્રામ ચૂનો અથવા કળી ચૂનો, ૨૦ લિટર સ્વચ્છ પાણી અને મુઠ્ઠીભર ખેતરની માટી એમ આ બધા પદાર્થોને પાણીમાં ભેળવીને ૨૪ કલાક સુધી રાખવાનું તથા દિવસમાં બે વાર હલાવવાનું રહે છે. ત્યારબાદ બીજની ઉપર બીજામૃત નાખીને તેને માવજત આપી તે પછી છાયામાં સુકવ્યા બાદ વાવણી કરવાની હોય છે. બીજામૃત દ્વારા માવજત આપેલ બિયારણ જલ્દી અને વધારે પ્રમાણમાં ઉગે છે તેના મૂળ ઝડપથી વધે છે ઉપરાંત જમીનજન્ય રોગથી બચી રહે છે અને સારી રીતે ફુલે ફાલે છે.

બીજામૃત પ્રાકૃતિક ખેતીનો એક મહત્વનો ભાગ છે, જે ખેડૂતોને ઓછા ખર્ચે ઉચ્ચ ગુણવત્તાયુક્ત પાક ઉત્પાદનમાં મદદ કરે છે. તેનો ઉપયોગ માત્ર બીજની ગુણવત્તા અને પાકની ઉત્પાદકતા વધારે છે, પરંતુ જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણનું રક્ષણ પણ કરે છે. આજના સમયમાં, જ્યારે રાસાયણિક ખેતીના દુષ્પરિણામો સ્પષ્ટ થઈ રહ્યા છે, ત્યારે બીજામૃત જેવી પદ્ધતિઓ ખેડૂતો માટે વરદાન સાબિત થઈ રહી છે.






Latest News