આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા ઉનાળા વેકેશન સ્પેશ્યલ રજામાં મજા સમર વેકેશન સ્પેશ્યલ વર્કશોપ મોરબી મહાપાલિકામાં ઓફ લાઇન મિકલત વેરો ભરે તો 10 અને ઓનલાઈન વેરો ભરે તો 12 ટકા રિબેટ મોરબીને સારા મેયર આપવા માટે જાગૃત નાગરિકે પ્રદેશ ભાજપ પ્રમુખને કરી રજૂઆત મોરબીમાં જુદીજુદી બે સંસ્થા દ્વારા લોકોને ગરમીની રાહત આપવા માટે શરબતનું વિતરણ કરાયું માળીયા (મી)ના સરવડ ગામે ગાળો બોલવાની ના કહેતા યુવાનની કારમાં ધોકા અને પથ્થર મારીને કરી તોડફોડ વાંકાનેરના જાલી ગામે વાડીએ ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબીમાં દેશી-વિદેશી દારૂની ત્રણ રેડમાં 1.81 લાખનો મુદામાલ કબ્જે મોરબી સિરામીક એસો.ના હૉલ ખાતે મર્ચન્ટ એક્સપોર્ટર્સ સાથે વિદેશ વેપારને લઈને મહત્વપૂર્ણ મીટિંગ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં અધિકારીની બેદરકારીના લીધે સસ્તા અનાજની ઘણી દુકાનો બંધ !?


SHARE













મોરબી જીલ્લામાં અધિકારીની બેદરકારીના લીધે સસ્તા અનાજની ઘણી દુકાનો બંધ !?

મોરબી જિલ્લામાં ઘણી સસ્તા અનાજની દુકાનો બંધ છે અને ૬ મહિના થયા દુકાનદાર ગુજરી ગયા છે છતાં નવી દુકાન ખોલવાની કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી ? તો ક્યા કારણોસર નવી દુકાન ખોલવાની કાર્યવાહી કરવામાં આવતી નથી ? તેવી સવાલ પી.પી. જોશીએ ઉઠાવ્યો છે

મોરબી જિલ્લા અન્ન અને નાગરિક પુરવઠો તેમજ ગ્રાહક સુરક્ષાના સભ્ય પી.પી.જોશીએ જણાવ્યુ છે કે, મોરબીમાં સસ્તા અનાજની ઘણી હાલમાં ખાલી જગ્યા છે જેમાં કેટલાક દુકાનદાર અવસાન પામેલ છે તો અમૂકે રાજીનામું આપેલ  છે અને કેટલાક લાંબી રજા ઉપર છે જેથી ઘણી દુકાનો બંધ છે અને ઘણા ગ્રામ્ય વિસ્તારમાં પાંચ કિમી સુધી ગ્રાહકને વસ્તુ લેવા જવું પડે છે તો આવી ખાલી પડેલ જગ્યાનું દુકાનનું જાહેરનામું બહાર પાડવું જોઈએ જેથી કોઈ બેરોજગાર કે વિધવા લાભ લઇ શકે અને સરકાર બેરોજગારને રોજગાર આપવા તત્પર છે પરંતુ અધિકારીની અનઆવડત કે બેદરકારીને કારણે આ લાભ બેરોજગાર સુધી પહોંચતો નથી અને અહી પ્રશ્ન એ થાય છે કે દુકાનોનું જાહેરનામુ શા માટે બહાર પાડવામાં આવતું નથી ? સરકારી નિયમોનુસાર કોઈ દુકાનદાર રાજીનામું આપે અથવા અવસાન થાય તો આવી દુકાનનું તુરત નિયમોનુસાર જાહેરનામું બહાર પાડી અરજીઓ મંગાવી દુકાન ચાલુ કરવાની હોય છે પરંતુ મોરબી જિલ્લામાં છેલ્લા ૬ મહિના થયા દુકાનદાર ગુજરી ગયા છે છતાં હાલમાં નવી દુકાન ખોલવાની કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી ? ક્યા કારણોસર નવી દુકાન ખોલવાની કાર્યવાહી કરવામાં આવતી નથી ? તે પણ તપાસનો વિષય છે તો આવી અસંખ્ય દુકાનો ખોલવાની કાર્યવાહી કરવી જોઈએ જેથી કોઈ બેરોજગારોને રોજગારી મળે તેમ છે






Latest News