મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના વીડીભોજપરાની ગામે ઝાટકા તારમાં શોટ લાગતા ગાયનું મોત થતા ફરીયાદ નોંધાઇ


SHARE











વાંકાનેરના વીડીભોજપરાની ગામે ઝાટકા તારમાં શોટ લાગતા ગાયનું મોત થતા ફરીયાદ નોંધાઇ

વાંકાનેરના વીડીભોજપરાની એકલ ધારની સીમમાં વાડીના માલકે વાડીના ફરતે શેઢે ઝાટકાના તાર બાંધેલા હતા અને તે જાટકાના તારથી માલધારીની ગાયને શોર્ટ લાગ્યો હતો અને તેનું મોત નીપજયું હતું.આ બનાવ સંદર્ભે હાલમાં માલધારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે વાડીના માલિક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં ભરવાડપરા ટાંકીવાળી શેરીમાં રહેતા માલધારી કાળુભાઈ દાનાભાઈ ગમારા (28) એ વાડીના માલિક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યુ છેકે, વીડી ભોજપરાની એકલ ધારની સીમમાં વાડીના માલિકે પોતાની વાડીના શેઢે ઝાટકા તાર બાંધેલો હતો અને તે ઝાટકા તારમાંથી શોટ લાગવાના કારણે ફરિયાદીની ગાયનું મોત નીપજ્યું હતું. જેથી વાડીના માલિકની બેદરકારીને કારણે ગાયનું મોત નીપજયું હોવાથી માલધારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે વાડીના માલિક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વૃદ્ધા સારવારમાં

મોરબી સોઓરડી પરશુરામ પોટરી વિસ્તારમાં રહેતા સવિતાબેન જેસીંગભાઇ રીબડીયા નામના 72 વર્ષના વૃદ્ધા બાઈકમાં પાછળ બેસીને વૃષભ સોસાયટીથી મહારાણા પ્રતાપ સર્કલ તરફ જતા હતા ત્યારે રસ્તામાં ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક બાઇકમાંથી નીચે પડી ગયા હોય ઇજા પામતા સારવાર માટે લઈ જવાયા હતા.તેમજ મોરબીના સામાકાંઠે ઋષિકેશ વિદ્યાલયથી વૃષભનગર બાજુ જતા રસ્તે બાઈક સ્લીપ થવાના બનાવમાં હેતલબેન જતીનભાઈ સવાડીયા (30) રહે.સર્વોદય સોસાયટી તરણેતર રોડ થાન જી.સુરેન્દ્રનગર નીચે પડી જતા ડાબા હાથના કાંડાના ભાગે ઇજા સાથે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

વાહન અકસ્માત

માળીયા મીંયાણાના નવાગામ ખાતે રહેતા સિરાજ દિલાવરભાઈ જામ નામના 19 વર્ષના યુવાનને ઇજા થતાં સારવારમાં અત્રે ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.માળીયા મીંંયાણાના રાસંગપર ગામ નજીક બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત થતાં તેને ઇજા થઈ હોય સારવાર માટે લાવવામાં આવ્યો હોય પોલીસે નોંધ કરી તપાસ કરી હતી.જ્યારે માળિયા મીંયાણાના ખાખરેચી ગામે રહેતા રાજેશભાઈ બાબુભાઈ રાવલ નામના 32 વર્ષના યુવાનને બાઈક લઈને જતા સમયે હળવદના દેવળિયા ગામે બાઇકની આડે કૂતરું આડુ ઉતરતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો અને જડેશ્વર જતા રસ્તે બાઈક તથા કાર અથડામણના બનાવમાં આશાબેન હરજીવનભાઈ ચાવડા (30) રહે.શનાળા વાડી વિસ્તાર મોરબીને સારવાર માટે લાવવામાં આવ્યા હતા તેઓ બાઈકમાં જતા હતા ત્યારે કારવાળાએ તેઓને હડફેટ લીધા હતા.






Latest News