મોરબી જલારામ ધામ-જલારામ સેવા મંડળ દ્વારા ત્રિવેણી સંગમ ખાતે ૨૮૫ દીવંગતોનુ અસ્થિઓનું સામૂહિક વિસર્જન કરાયું મોરબીમાં ઘરમાં જુગાર રમતા 7 શખ્સોની 25,500 ની રોકડ સાથે ધરપકડ માળીયા (મી)ના મોટા દહીસરા ગામનો બનાવ: કૌટુંબિક ભાઈએ પ્રેમલગ્ન કરતાં યુવતીના પિતા સહિત 8 શખ્સોએ યુવાનનું અપહરણ કરીને માર માર્યો મોરબીમાં જૂના મનદુખનો ખાર રાખીને દંપતીને ચાર મહિલા સહિત કુલ 5 લોકોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઇકો ગાડીનો ઓવરટેક કરવાની વાતનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુ-પાઇપ વડે માર માર્યો મોરબીમાં રહેતા મુમુક્ષુ વિધીબેન મહેતાનો ગૃહ ત્યાગ: 1 ફેબ્રુઆરીએ દીક્ષા અંગીકાર કરશે ટંકારાના ગણેશપર ગામે પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો, સ્કૂલબેગનું વિતરણ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ: તેજસ્વી વિધાર્થીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેરના વીડીભોજપરાની ગામે ઝાટકા તારમાં શોટ લાગતા ગાયનું મોત થતા ફરીયાદ નોંધાઇ


SHARE











વાંકાનેરના વીડીભોજપરાની ગામે ઝાટકા તારમાં શોટ લાગતા ગાયનું મોત થતા ફરીયાદ નોંધાઇ

વાંકાનેરના વીડીભોજપરાની એકલ ધારની સીમમાં વાડીના માલકે વાડીના ફરતે શેઢે ઝાટકાના તાર બાંધેલા હતા અને તે જાટકાના તારથી માલધારીની ગાયને શોર્ટ લાગ્યો હતો અને તેનું મોત નીપજયું હતું.આ બનાવ સંદર્ભે હાલમાં માલધારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે વાડીના માલિક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં ભરવાડપરા ટાંકીવાળી શેરીમાં રહેતા માલધારી કાળુભાઈ દાનાભાઈ ગમારા (28) એ વાડીના માલિક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યુ છેકે, વીડી ભોજપરાની એકલ ધારની સીમમાં વાડીના માલિકે પોતાની વાડીના શેઢે ઝાટકા તાર બાંધેલો હતો અને તે ઝાટકા તારમાંથી શોટ લાગવાના કારણે ફરિયાદીની ગાયનું મોત નીપજ્યું હતું. જેથી વાડીના માલિકની બેદરકારીને કારણે ગાયનું મોત નીપજયું હોવાથી માલધારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે વાડીના માલિક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વૃદ્ધા સારવારમાં

મોરબી સોઓરડી પરશુરામ પોટરી વિસ્તારમાં રહેતા સવિતાબેન જેસીંગભાઇ રીબડીયા નામના 72 વર્ષના વૃદ્ધા બાઈકમાં પાછળ બેસીને વૃષભ સોસાયટીથી મહારાણા પ્રતાપ સર્કલ તરફ જતા હતા ત્યારે રસ્તામાં ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક બાઇકમાંથી નીચે પડી ગયા હોય ઇજા પામતા સારવાર માટે લઈ જવાયા હતા.તેમજ મોરબીના સામાકાંઠે ઋષિકેશ વિદ્યાલયથી વૃષભનગર બાજુ જતા રસ્તે બાઈક સ્લીપ થવાના બનાવમાં હેતલબેન જતીનભાઈ સવાડીયા (30) રહે.સર્વોદય સોસાયટી તરણેતર રોડ થાન જી.સુરેન્દ્રનગર નીચે પડી જતા ડાબા હાથના કાંડાના ભાગે ઇજા સાથે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

વાહન અકસ્માત

માળીયા મીંયાણાના નવાગામ ખાતે રહેતા સિરાજ દિલાવરભાઈ જામ નામના 19 વર્ષના યુવાનને ઇજા થતાં સારવારમાં અત્રે ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.માળીયા મીંંયાણાના રાસંગપર ગામ નજીક બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત થતાં તેને ઇજા થઈ હોય સારવાર માટે લાવવામાં આવ્યો હોય પોલીસે નોંધ કરી તપાસ કરી હતી.જ્યારે માળિયા મીંયાણાના ખાખરેચી ગામે રહેતા રાજેશભાઈ બાબુભાઈ રાવલ નામના 32 વર્ષના યુવાનને બાઈક લઈને જતા સમયે હળવદના દેવળિયા ગામે બાઇકની આડે કૂતરું આડુ ઉતરતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો અને જડેશ્વર જતા રસ્તે બાઈક તથા કાર અથડામણના બનાવમાં આશાબેન હરજીવનભાઈ ચાવડા (30) રહે.શનાળા વાડી વિસ્તાર મોરબીને સારવાર માટે લાવવામાં આવ્યા હતા તેઓ બાઈકમાં જતા હતા ત્યારે કારવાળાએ તેઓને હડફેટ લીધા હતા.






Latest News