મોરબીના લખધીરપૂર ગામ પાસે કેનાલમાં ડૂબી ગયેલ યુવાનનો મૃતદેહ મચ્છુ-2 ડેમમાંથી મળ્યો
Morbi Today
મોરબીના ન્યુ હાઉસિંગમાં ગણેશોત્સવમાં આજે રાત્રે ચામુંડા આહીર રાસ મંડળી કરશે જમાવટ
SHARE
મોરબીના ન્યુ હાઉસિંગમાં ગણેશોત્સવમાં આજે રાત્રે ચામુંડા આહીર રાસ મંડળી કરશે જમાવટ
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડમાં ગણેશ મહોત્સવનું સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર દ્વારા અયોજન કરવામાં આવ્યું છે. દરરોજ વિધ્નહર્તાની પૂજા અર્ચના, આરતી કરીને આરાધના કરવામાં આવે છે. સાથોસાથ દરરોજ જુદાજુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે 31/08/2025ના રોજ આ ન્યુ હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં રાત્રે 09:30 વાગ્યે ગુજરાતની પ્રખ્યાત ચામુંડા આહીર રાસ મંડળીના રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાસ મંડળીની રમઝટ નિહાળવા દરેક લોકોને ભાવભીનું આમંત્રણ આયોજકો દ્વારા આપવામાં આવ્યું છે.









