વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી મોરબી જિલ્લામાં આગામી રવિ, સોમ અને મંગળવારે રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ અંતર્ગત ૧.૨૧ લાખથી વધુ બાળકો પીવડાવાશે પોલિયોના ટીપાં મોરબીમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પાંચ દિવસીય મહિલા વૃત્તીકા તાલીમ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપૂર ગામ પાસે કેનાલમાં ડૂબી ગયેલ યુવાનનો મૃતદેહ મચ્છુ-2 ડેમમાંથી મળ્યો


SHARE











મોરબીના લખધીરપૂર ગામ પાસે કેનાલમાં ડૂબી ગયેલ યુવાનનો મૃતદેહ મચ્છુ-2 ડેમમાંથી મળ્યો

મોરબીના લખધીરપુર રોડ ઉપરથી પસાર થતી નર્મદાની કેનાલમાં યુવાન ડૂબી ગયો હતો જે પાણીના પ્રવાહ સાથે તણાઈને મોરબીના મચ્છુ-2 ડેમ સુધી પહોંચી ગયો હતો જેથી ફાયર વિભાગની ટીમે ડેમના પાણીમાંથી યુવાનની ડેડબોડીને બહાર કાઢી હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના લખધીરપુર ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં મોરબીના લખધીરપૂર રોડે આવેલ કોરલઈ ગોલ્ડ સીરમાં રહેતો અને મજૂરી કામ કરતો રાજકુમાર નારાયણભાઈ વનાવસી (33) નામનો યુવાન કોઈ કારણોસર પાણીમાં ડૂબી ગયો હતો અને કેનાલમાં નર્મદાનું પાણી ચાલુ હોવાથી તે યુવાન પાણીની સાથે મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમ સુધી તણાઈને આવી ગયો હતો અને ત્યાંથી તેની ડેબબોડી મળી આવતા મોરબી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મચ્છુ-2 ડેમમાંથી મૃતક યુવનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેને મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૂળ યુપીના રહેવાસી અને હાલમાં મોરબીના લખધીરપૂર રોડ ઉપરરહેતા અમીનકિશોર ઉમેશભાઈ વનવાસી (19)એ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News