ટંકારાના હરબટીયાળી નજીક કાર ચાલકે રિક્ષાને ઠોકર મારતા સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત
મોરબીના લીલાપર રોડે બનેલ આવાસ યોજનાના કવાર્ટરના લાભાર્થીઓને બાકી રકમ જમા કરાવવા તાકીદ
SHARE







મોરબીના લીલાપર રોડે બનેલ આવાસ યોજનાના કવાર્ટરના લાભાર્થીઓને બાકી રકમ જમા કરાવવા તાકીદ
મોરબીના લીલાપરના સર્વે નંબર ૧૧૧૬ ની જમીન ઉપર ૪૦૦ આવાસોનું નિર્માણ સરકાર દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના(IHSDP) અન્વયે કરવામાં આવ્યું છે અને IHSDP આવાસ યોજનાના ૪૦૦ આવાસોનો તા ૩૦-૦૧-૨૦૧૭ ના રોજ કોમ્પ્યુટર આધારિત ડ્રો કરીને ૪૦૦ લાભાર્થીઓની યાદી આખરી કરવામાં આવેલ છે.
મોરબીમાં બનેલ આવાસનો કોમ્પ્યુટર આધારિત ડ્રો કરવામાં આવ્યા બાદ લાભાર્થીઓ પૈકી જે લાભાર્થીઓને કવાર્ટર મળેલ હોય તેઓને એક આવાસ દીઠ લાભાર્થીએ ૫૧૦૦૦ રૂપિયા મોરબી મહાનગરપાલિકામાં જમા કરાવેલ નથી અથવા તો પાર્ટ પેમેન્ટ જમા કરાવેલ છે તેવા તમામ લાભાર્થીઓને જાણ કરવામાં આવે છે કે તા.૧૫/૦૯/૨૦૨૫ સુધીમાં આપની બાકી રહેતી પૂરેપૂરી રકમ અથવા તો માસિક હપ્તેથી રકમ ૫૦૦૦ ભરીને સંપૂર્ણ રકમ ભરપાઈ કરવા મોરબી મહાપાલિકા દ્વારા અનુરોધ કરાયો છે અને જે લાભાર્થીઓ દ્વારા તેના આવાસ પેટેની રકમ ૫૧૦૦૦ જમા થયેલ હશે તેવા લાભાર્થીઓને ફાળવણીપત્ર આપીને કબજો સોપવામાં આવશે તેવું મોરબી મહાપાલિકા શાખા અધ્યક્ષ (આવાસ) દ્વારા જણાવવામાં આવ્યું છે.
