મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝએ જીએસટીમાં કરવામાં આવેલ ફેરફારોને આવકાર્યા


SHARE











મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝએ જીએસટીમાં કરવામાં આવેલ ફેરફારોને આવકાર્યા

ભારત સરકાર દ્વારા જીએસટીમાં ફેરફાર કરવામાં આવ્યા છે જેને ઠેર ઠેરથી આવકાર મળી રહ્યો છે ત્યારે મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખના હોદ્દેદારો દ્વારા જીએસટી 2.0 ને આવકારવામાં આવેલ છે અને 2047 સુધી ગુજરાત અને દેશ જે વિકાસ તરફ આગળ વધવાનો છે તેના માટે મહચ્વનું પગલુ ગણાવ્યુ છે.

વડાપ્રધાન નરેદ્રભાઈ મોદીના GST 2.0 ના નિર્ણયનો MCCI દ્વારા આવકારવામાં આવેલ છે અને મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ઉદ્યોગ જગતની ચિંતાઓને સંવેદનશીલતાથી સાંભળવા અને GST 2.0 લાવવા બદલ ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. અને ઉધોગ જગત દ્વારા રજુ કરાયેલી અનેક દરખાસ્તો અને સૂચનોને સરકાર દ્વારા સ્વીકારવામાં આવ્યા છે જે સરકારના સંવાદ પ્રત્યેના ખુલ્લા પણા અને ઉદ્યોગ સાથે વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવાની પ્રતિબંધતા દર્શાવે છે. GST 2.0 માત્ર એક તકનીકી સુધારો નથી પરંતુ એક વ્યુહાત્મક આર્થિક નિર્ણય છે જે નિશ્ચિતતાપૂરી પાડે છે અવરોધો ઘટાડે છે પ્રવાહીતતા વધારે છે અને ઉદ્યોગો તથા ગ્રાહકો બંનેને સશકત બનાવે છે. અને આપણે વર્ષે 2047 સુધીમાં વિકસિત ભારત અને વિકસિત ગુજરાત બનવાના લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધી રહયા છીએ, ત્યારે આવા સુધારા આવશ્યક છે. અને મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ આ સુધારાઓનો લાભ છેવાડાના ગ્રાહકો સુધી પહોંચાડવા જિલ્લાના વિવિધ ક્ષેત્રના વ્યવસાયકારોને વિનંતી કરે છે તેવુ મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ જયંતિભાઇ પટેલે જણાવ્યુ છે.






Latest News