માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારે નેચરલ વસ્તુઓનું રાહતદરે વેચાણ કરાશે


SHARE

















મોરબીમાં રવિવારે નેચરલ વસ્તુઓનું રાહતદરે વેચાણ કરાશે

મોરબીમાં નવરંગ નેચર ક્લબ-રાજકોટ દ્રારા આગામી તા.૧૨ ને રવિવારના રોજ ઉમિયા સર્કલ પાસેમહાદેવ મંદિર નજીક સવારે ૮:૩૦ થી બપોરે ૧ સુધી લેશિયન સાગ, એરિકા પામ, મધુકામીની, મધુનાસી, બિજોરા, બીગોનીયા, ફણસ, નાગરવેલ વગેરે રોપાના રૂ.૨૦ લેખે અને તે ઉપરાંત પણ ઘણા બધા ફૂલછોડનું રાહત દરે વિતરણ થશે. 

વિવિધ જાતના ફૂલછોડ તેમજ ગાય આધારિત વિવિધ ચીજવસ્તુઓ, એલોવેરા જેલ, અળસીયા અને કોકોપીટનું ખાતર, પ્યોર મધ, પ્લાસ્ટિકના ચબુતરા (રૂપિયા ૧૦), દેસી ઓસડીયા, પંચામૃત, લીંબુ, લીંબુ આદું, ઠંડાઈ, આંબડા વગેરેના પાવડર, હર્બલ ટી, લીલા નાળિયેર (ત્રોફા),બહુનીયા, પેથોડિયા, કાજુ, બીગોનીયા અને ફલાય મેંગો વગેરે ફૂલછોડના રોપા, બાજરાના ખાખરા, હાથે ખાંડેલા દેશી ઓસડિયા અને સફેદ ડાઘની આયુર્વેદિક દવા મળશે.નાગરવેલ, મોગરો ક્રોટોન, રસૂલીયા, ગાર્ડનિયા, જાસૂદ, મરી, લાલ અને મિક્સ કાશ્મીરી ગુલાબ, દિનકા રાજા, મધુકામીની, મધુમાલતી, લીલી, ખટુંબરા વગેરેના રોપાના રૂ.૨૦ લેખે ફણસ, કાજુ, કપૂર અને ચીની ગુલાબના રોપા વગેરે રાહત દરે મળશે.એલોવેરા જેલ, એલોવેરા જ્યુસ, બોડી લોસન, ગ્લિસરીન સાબુ, દાબેલા મગ અને ચણા, હળદર દાડીયા, આંબળા રસ, રાજસ્થાની મહેંદી, છાસ મસાલા, વિવિધ જાતની ગરબત્તીઓ અને સપ્તચુંર્ણ,વિવિધ જાતના કઠોળ અને દાળ, ફીંડલા સરબત, માટીના કુંડા, તાવડી, દેશી હાથ ઘડાવ માટીના પાટિયા, કોડિયા, ચકલીઘર, રસોડાને ઉપયોગી લાકડાની વિવિધ ચીજવસ્તુઓ, કાશ્મીરી લસણ, વિવિધ વનસ્પતિના પાંદડાનો પાવડર, વિવિધ સૂપ પાવડર, વિવિધ સરબતના પાવડર, વિવિધ શાકભાજીના બિયારણ, ગૌ ઉત્પાદન જેમાં ધૂપ સ્ટિક, કોળિયા, અળાયા, ગોનાઇલ અને વિવિધ જાતના અનાજ, અળસીયાએ બનાવેલ ખાતર (૧ કિલોના રૂ.૨૦ લેખે) નું વેચાણ થાય છે.આ બધું ખેડૂતો અને અન્ય લાભાર્થીઓ વેચવા આવે છે તેને નવરંગ નેચર ક્લબ સંસ્થા જગ્યા અને પ્રચારની વ્યવસ્થા કરી આપે છે.વધુ વિગત માટે લવજીભાઈ પ્રજાપતિ (મો.૯૯૨૫૩ ૬૯૪૬૫) અથવા વી.ડી.બાલા (મો.૯૪૨૭૫ ૬૩૮૯૮) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવાયેલ છે. 




Latest News