મોરબી જીલ્લામાં તંત્રના પાપે ઘોડાધ્રોઈ નદીનું પાણી રસ્તા ઉપર ફરી વળતાં રસ્તો બંધ
મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના હોદ્દેદારોની વરણી માટે યોજાશે સામાન્ય સભાની બેઠક
SHARE
મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના હોદ્દેદારોની વરણી માટે યોજાશે સામાન્ય સભાની બેઠક
સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જિલ્લાના હોદ્દેદારોની વરણી કરવા માટેની સામાન્ય સભાનું આયોજન કરાયું છે અને આગામી ગુરુવારે મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે સામાન્ય સભા રાખવામા આવેલ છે.
સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જિલ્લાના પ્રમુખ ભરતભાઈ ઓઝા તથા મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટની યાદી અનુસાર સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જિલ્લાના હોદ્દેદારોની વરણી કરવા માટેની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. 11/9/2025 ગુરૂવારના રોજ બપોરે ત્રણ કલાકે મોરબીના પરશુરામ ધામ ખાતે સામાન્ય સભા રાખવામા આવેલ છે. આ સામાન્ય સભામાં ઉપસ્થિત રહેવા માટે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના નોંધાયેલ આજીવન સભ્યો, પેટર્ન સભ્યોને હાજર રહેવા અનુરોધ કરાયો છે.