ટંકારાના વાછકપર બેડીમાં શેઢા પાસે જેસીબી કેમ ચલાવ્યું? કહીં યુવાન પર લાકડી વડે હુમલો મોરબી જિલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિર જીકીયારી દ્વારા NDD ડે અને રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં મુખ્યમંત્રીના કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે ધારાસભ્યની હાજરીમાં ભાજપના આગેવાનોની મિટિંગ મળી મોરબી ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓ સંસદ ભવનની કરી મુલાકાત મોરબીમાં પેટકોક વપરાતા 15 કારખાનાને જીપીસીબીએ ફટકારી કલોઝર નોટિસ: પ્રત્યેકને 15 લાખનો દંડ, ઉદ્યોગકારોમાં ઓહાપોહ મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના કાર્યકર્તાઓની રવિવારે ટંકારામાં શિબિર યોજાશે મોરબીમાં નવરાત્રી આયોજકો  અરજી બાદ સ્પષ્ટ અભિપ્રાય પછી જ મનોરંજન પર્ફોમન્સ લાઇસન્સ અપાશે: અધિકારી મોરબી: ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીના રજીસ્ટ્રેશન માટે ૨૨ મી સુધી મુદત લંબાવાઈ
Breaking news
Morbi Today

હળવદના ચંદ્રગઢ ગામ પાસે કેનાલના પાણીમાં ડૂબી જવાથી તરૂણ સહિત બે વ્યક્તિના મોત


SHARE













હળવદના ચંદ્રગઢ ગામ પાસે કેનાલના પાણીમાં ડૂબી જવાથી તરૂણ સહિત બે વ્યક્તિના મોત

હળવદના ચંદ્રગઢ ગામ પાસેથી પસાર થતી કેનાલમાં તરુણ પાણી ભરવા માટે ગયો હતો ત્યારે તેનો પગ લપસ જવાથી તે પાણીમાં ડૂબી ગયો હતો જેને બચાવવા માટે યુવાને પાણીમાં ઝંપલાવ્યું હતું જોકે, કેનાલમાં પાણી વહેતું હોવાના કારણે બંને પાણીમાં ડૂબી ગયા હતા જેથી આ બનાવમાં તરુણ સહિત કુલ બે વ્યક્તિના મોત નીપજ્યા છે જે બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામની સીમમાં કાંતિલાલ મીઠાભાઈ કંઝરિયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી હિતેશભાઈ ભાવેશભાઈ રાઠવા (15) અને અશ્વિનભાઈ સંજયભાઈ રાઠવા (23) નામના બે વ્યક્તિનું ચંદ્રગઢ ગામ પાસેથી પસાર થતી પાણીની કેનાલમાં ડૂબી જવાના કારણે મોત નીપજયું છે. જેથી કરીને તે બંનેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની અતુલભાઇ સોમસિંગભાઈ રાઠવા (27) રહે. ખરમડા ગામ જીલ્લો છોટાઉદેપુર વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે ચંદ્રગઢ ગામ પાસેથી પસાર થતી કેનાલમાં હિતેશભાઈ રાઠવા નામનો 15 વર્ષનો તરુણ પાણી ભરવા માટે ગયો હતો ત્યારે પગ લપસ જવાથી તે પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેને બચાવવા માટે અશ્વિનભાઈ સંજયભાઈ રાઠવાપાણીમાં ઝંપલાવ્યું હતું જોકે, કેનાલમાં પાણી વહેતું હોવાના કારણે બંને પાણીમાં ડૂબી ગયા હતા અને તે બંનેનું મોત નીપજયું હતું.




Latest News