હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીના 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા આરોપી શાંતાબેન પરમારના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર


SHARE













મોરબીના 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા આરોપી શાંતાબેન પરમારના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર

મોરબીના વજેપર સર્વે નં. ૬૦૨ ચકચારી જમીન કોભાંડમાં મહિલા આરોપીની ધરપકડ કરી હતી જે મોરબીની જેલમાં છે અને તેના વકીલ મારફતે હાઇકોર્ટમાંથી જામીન માટે અરજી કરવામાં આવી હતી જેમાં મહિલા આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાને લઈને કોર્ટે મહિલા આરોપીના જામીન મંજૂર કર્યા છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત તા.૧૫-૩-૨૫ ના રોજ વજેપર સર્વે નં.૬૦૨ ના જમીન કૌભાંડની જમીનના મૂળ માલિકે ફરિયાદ કરી હતી જે ગુન્હાના મહિલા આરોપી શાંતાબેન મનજીભાઇ પરમારની ધરપકડ કરવામાં આવેલ હતી. અને આ કેસની તપાસ ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી અને તેની ટિમ કરી રહી છે. તેવામાં મહિલા આરોપી શાંતાબેન પરમારના વકીલ ડી.કે. ભીમાણી પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદની આક્ષેપિત હકીકત એવી છે કે, આરોપી શાંતાબેન મનજીભાઇ પરમાર દ્વારા મોરબીના વજેપર ગામના સર્વે નં. ૬૦૨ ની જમીન ધારણકર્તા ગુજરનાર બેચરભાઈ ડુંગરભાઈ નકુમનો ખોટો મરણનો દાખલો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી, ગુજરનારનો ખોટો વરસાઈ આંબો બનાવી, ખોટી વરસાઈ એન્ટ્રી પાડીને જમીનમાં પોતાનું નામ દાખલ કરી સાગર અંબારામભાઈ ફૂલતરીયાને વેચાણ દસ્તાવેજ કરી આપેલ હતો. આરોપી શાંતાબેન મનજીભાઇ પરમારની જામીન અરજી મોરબી જીલ્લાના યુવા વકીલ ધ્રુવીલ ભીમાણી, જયદીપ જે. ઘોડાસરા તથા ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ નીરદ ડી. બુચ મારફતે હાઇકોર્ટમાં મૂકવામાં આવી હતી જેમાં વકીલે કરેલ ધારદાર દલીલોને ધ્યાને લઈને કોર્ટે મહિલા આરોપીના જામીન મંજૂર કર્યા છે.






Latest News