તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા આરોપી શાંતાબેન પરમારના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર


SHARE











મોરબીના 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા આરોપી શાંતાબેન પરમારના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર

મોરબીના વજેપર સર્વે નં. ૬૦૨ ચકચારી જમીન કોભાંડમાં મહિલા આરોપીની ધરપકડ કરી હતી જે મોરબીની જેલમાં છે અને તેના વકીલ મારફતે હાઇકોર્ટમાંથી જામીન માટે અરજી કરવામાં આવી હતી જેમાં મહિલા આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાને લઈને કોર્ટે મહિલા આરોપીના જામીન મંજૂર કર્યા છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત તા.૧૫-૩-૨૫ ના રોજ વજેપર સર્વે નં.૬૦૨ ના જમીન કૌભાંડની જમીનના મૂળ માલિકે ફરિયાદ કરી હતી જે ગુન્હાના મહિલા આરોપી શાંતાબેન મનજીભાઇ પરમારની ધરપકડ કરવામાં આવેલ હતી. અને આ કેસની તપાસ ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી અને તેની ટિમ કરી રહી છે. તેવામાં મહિલા આરોપી શાંતાબેન પરમારના વકીલ ડી.કે. ભીમાણી પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદની આક્ષેપિત હકીકત એવી છે કે, આરોપી શાંતાબેન મનજીભાઇ પરમાર દ્વારા મોરબીના વજેપર ગામના સર્વે નં. ૬૦૨ ની જમીન ધારણકર્તા ગુજરનાર બેચરભાઈ ડુંગરભાઈ નકુમનો ખોટો મરણનો દાખલો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી, ગુજરનારનો ખોટો વરસાઈ આંબો બનાવી, ખોટી વરસાઈ એન્ટ્રી પાડીને જમીનમાં પોતાનું નામ દાખલ કરી સાગર અંબારામભાઈ ફૂલતરીયાને વેચાણ દસ્તાવેજ કરી આપેલ હતો. આરોપી શાંતાબેન મનજીભાઇ પરમારની જામીન અરજી મોરબી જીલ્લાના યુવા વકીલ ધ્રુવીલ ભીમાણી, જયદીપ જે. ઘોડાસરા તથા ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ નીરદ ડી. બુચ મારફતે હાઇકોર્ટમાં મૂકવામાં આવી હતી જેમાં વકીલે કરેલ ધારદાર દલીલોને ધ્યાને લઈને કોર્ટે મહિલા આરોપીના જામીન મંજૂર કર્યા છે.






Latest News