ટંકારાની દયાનંદ સરસ્વતી બી.એડ. કોલેજમાં મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ યોજાયો
હળવદમાં 12 સપ્ટેમ્બરના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
SHARE







હળવદમાં 12 સપ્ટેમ્બરના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
મોરબી રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૧૨-૦૯-૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, પ્રા.વસંતરાય ઉપાધ્યાય આઈ.ટી.આઈ, સરા રોડ, હળવદ ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક /એસએસસી /એચએસસી /આઇટીઆઇ /સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવા માટે જણાવ્યુ છે.
