હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીમાં સિમાચિહન ચુકાદો : ચેક રીટર્નના કેસમાં ફરીયાદી સામે ફરીયાદ કરતી વાંકાનેર કોર્ટ


SHARE













મોરબીમાં સિમાચિહન ચુકાદો : ચેક રીટર્નના કેસમાં ફરીયાદી સામે ફરીયાદ કરતી વાંકાનેર કોર્ટ

ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ ચેક રીટર્નની ખોટી ફરીયાદ કરવી ભારે પડી હતી.વાંકાનેર એડીશ્નલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટે ધી નેગોશીયેબલ ઈન્સટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ ના ગુન્હામાં આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરી ફરીયાદી સામે ફરીયાદ કરતો સિમા ચિહનરૂપ ચુકાદો આપેલ છે.તાજેતરમાં વાકાનેર એડીશ્નલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટ દ્રારા ફરીયાદીએ, આરોપી ઉપર કરેલ ધી નેગોશીયેબલ ઈન્સટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ અનુસંધાને આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવીને સિમાચિહનરૂપ ચુકાદો જાહેર કરેલ છે.

કેસની હકીકત જોઈએ તો અંબાલિયા હેમચંદભાઈ લવજીભાઈ રહે. વાંકાનેર વાળા ઉપર ધી નેગોશીયેબલ ઈન્સટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ અંગેની ફરીયાદ ફરીયાદીએ કરેલ હતી.વાંકાનેર એડીશ્નલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં, ફરીયાદીએ આરોપી અંબાલીયા હેમચંદુભાઈ લવજીભાઈની સામે ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબની ફરીયાદ કરી ચેક મુજબની રકમના નાણા પરત મેળવવા કેસ કર્યો હતો.જે કેસમાં રજુ કરેલ પુરાવાઓ ફરીયાદી સાબીત કરી ન શકતા, અને આરોપી તરફે રજુ થયેલ પુરાવા તથા આરોપીના વકીલ જયદીપ એચ.હડિયલની ધારદાર દલીલોને ધ્યાને લઈને વાંકાનેર એડીશ્નલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટે ફરીયાદી દ્રારા આરોપી ઉપર ખોટી ફરીયાદ અને ખોટા પુરાવા ઉભા કરવામાં આવેલ હોવાનું માનીને આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરતો સિમાચિહન ચુકાદો આરોપીની તરફેણમાં જાહેર કરેલ છે.

વધુમાં ફરીયાદી નાણા ધીરધારનો ધંધો કરતા હોય ફરીયાદીનું નાણા ધીરધારનું લાયસન્સ રદ કરવા નાણા ધીરધાર કચેરી-મોરબી ને જરૂરી કાર્યવાહી કરવાનો હુકમ કરવામાં આવેલ છે.તથા ફરીયાદી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૭, ૨૨૮, ૨૩૩, ૨૩૫, ૨૩૬, ૨૩૭ મુજબની ફરીયાદ દાખલ કરવાનો કોર્ટે રજીસ્ટ્રારને હુકમ કર્યો છે.જરૂરી કાર્યવાહી કરવા આ કેસમાં આરોપી અંબાલીયા હેમચંદ્રભાઈ લવજીભાઈ વતી મોરબીના યુવા વકીલ જયદીપ એચ.હડીયલ રોકાયેલ હતા.






Latest News