મોરબીમાં સિમાચિહન ચુકાદો : ચેક રીટર્નના કેસમાં ફરીયાદી સામે ફરીયાદ કરતી વાંકાનેર કોર્ટ
મોરબીમાં પ્રધાન મંત્રી ટીબી મુક્ત ભારત ની ત્રીજી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી
SHARE







મોરબીમાં પ્રધાન મંત્રી ટીબી મુક્ત ભારત ની ત્રીજી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ટી.બી મુક્ત ભારત અભિયાન નો દેશ વ્યાપી શુભ આરંભ તા.૯ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ થયો હતો.આજ રોજ ૯ સપ્ટેમ્બર ૨૦૨૫ એ જ્યારે આ અભિયાનના ૩ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે મોરબી જિલ્લામાં આ ત્રીજી વર્ષગાંઠની ઉજવણી કરી હતી જેના ભાગરૂપે મહેન્દ્રસિંહજી હોસ્પિટલ કેમ્પસ જિલ્લા ક્ષય કેન્દ્ર-મોરબી ખાતે મોરબીની છેલ્લા ત્રણ વર્ષથી સતત સમાજ સેવા આપતી અને ટીબીના દર્દીઓને કીટ આપી નિક્ષય મિત્ર બનેલ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ટીબીના પાંચ દર્દીઓને કીટ આપીને નિક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ડીટીઓ ધનસુખ અજાણાએ અભિયાન અંતર્ગત ટીબીના દરેક દર્દીને પોષણકીટ મળી રહે તે માટે અપીલ કરી હતી.
