મોરબી જલારામ ધામ ખાતે ભાગવત કથાનું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા
ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
SHARE







ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તથાગત બૌદ્ધ કોમ્યુનિટી હોલ મોરબી ખાતે તેજસ્વી વિદ્યાર્થી સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ગુરૂબ્રાહ્મણ રાજ્યકક્ષાના પ્રમુખ જે.વી.શ્રીમાળી હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, રાજયના મહામંત્રી સી.એન.જોષી, ખજાનચી ભગવતીપ્રસાદ શ્રીગોડ, રાજકોટ જીલ્લા ઘટકના પ્રમુખ મનોજભાઇ ગેડીયા અને તેમની ટીમ તથા સુરેન્દ્રનગર જીલ્લા ઘટકના પ્રમુખ રવિશંકર પંડયા અને તેમની ટીમ, વણકર સેવા સમીતીના પ્રમુખ રામજીભાઇ ધાવડા અને ટીમની વીષેસ ઉપસ્થિતી રહ્યા હતા અને તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન કર્યા હતા અને ધો. 10, 12 તેમજ સ્તાનક થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓને શીલ્ડ આપીને સન્માનીત કર્યા હતા ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સમાજમા શીક્ષણ બાબતે જે કંઈ જરૂર હોય ત્યાં સહકાર આપવાની ખાતરી આપી હતી. અને વર્તમાન કારોબારીની મુદત પૂરી થતાં નવી કારોબારી માટે પ્રમુખ તરીકે હેમંતભાઇ ધુમલ, મહામંત્રી તરીકે આદીત્ય અશોકભાઈ કાંટીયા અને ખજાનચી તરીકે ભાવેશભાઇ શુક્લની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી
