મોરબીના બાયપાસ રોડે ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત
મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખના પિતાના સ્મરણાર્થે વૃધ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવ્યુ
SHARE







મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખના પિતાના સ્મરણાર્થે વૃધ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવ્યુ
મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના પિતા નરભેરામભાઈ મોહનભાઈ ઉઘેરજાના સ્મરણાર્થે હેતલબેન પટેલ દ્વારા શંકર આશ્રમ ખાતે આવેલ અનાથાશ્રમ ખાતે વડિલોને ભોજન કરાવવામાં આવ્યું હતું.
ત્યારે હેતલબેન પટેલ જુદાજુદા બે દિવસ સુધી અનાથાશ્રમના વડીલોને મીઠાઈ ફરસાણ સહિતનું ભોજન કરાવવામાં આવ્યું હતું. અને વડીલોના આશિર્વાદ લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આગામી 20/01/2026 ના રોજ એક ભવ્ય ચતુર્થ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનું આયોજન થનાર છે. જેમાં માતા-પિતા વિનાની તથા જરૂરિયાતમંદ પરિવારની 51 દિકરીઓના સમૂહલગ્ન માટે હાલ હેતલબેન પટેલ સહિત તેમના ગ્રુપના સભ્યો મહેનત કરી રહ્યા છે.
