મોરબીમાં માતા-પિતાથી વિખૂટી પડેલી ૩ વર્ષની બાળકીનું પરિવાર સાથે કરાવ્યું મિલન મોરબી: પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર-૨૦૨૬ માટે ઓનલાઇન નોમિનેશન કરાવવું મોરબીના નારણકા ગામના ખેડૂત ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ થકી બન્યા પ્રગતિશીલ ખેડૂત મોરબીમાં લગ્નપ્રસંગે મુખ્યમંત્રી બાળસેવા યોજના થકી સરકારે કર્યું દીકરીનું કન્યાદાન મોરબીમાં રસ્તો ભુલી ગયેલા વૃદ્ધાનું પરિવાર સાથે અભયમની ટીમે મિલન કરાવ્યુ મોરબીમાં પીજીવીસીએલના અધિકારી-કર્મચારીઓ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ચાલતા આંદોલનમાં ખેડૂતોની માંગણીઓને સંતોષવા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર હાલમાં ગાંધીજીના માર્ગે ચાલતું આંદોલન, હિંસક બનતા વાર લાગશે નહીં: મોરબીના જેતપર ગામે આવેલ બાવડી ગામના ખેડૂતોની સરકારને ચેતવણી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં દિવ્યાંગ બાળકો માટે ઉમંગ ઉત્સવનું આયોજન


SHARE









મોરબી જીલ્લામાં દિવ્યાંગ બાળકો માટે ઉમંગ ઉત્સવનું આયોજન

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરીત તથા કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત ઉમંગ ઉત્સવનું આયોજન થનાર છે. આ ઉમંગ ઉત્સવ દિવ્યાંગ (વિકલાંગ) બાળકોને સંગીત, નૃત્ય, નાટ્ય તેમજ લોકકલા અને રાજ્યના અમુલ્ય વારસા અંગે પ્રોત્સાહિત કરવા દર વર્ષે પ્રદેશકક્ષા તથા રાજ્યકક્ષાએ યોજાય છે. સરકાર માન્ય વિકલાંગ સંસ્થાના ૭ થી ૧૨ વર્ષના તથા માનસિક ક્ષતિગ્રસ્તના ૭ થી ૧૫ વર્ષના બાળકો ઉમંગ ઉત્સવની સ્પર્ધામાં ભાગ લઈ શકશે.

આ સ્પર્ધામાં સંગીત, નૃત્ય, નાટ્ય અને સાહિત્ય એમ કુલ ૪ વિભાગની સમૂહગીત, એકાંકી, લોકનૃત્ય, રાસ, ગરબા, વકતૃત્વ, નિબંધ, કાવ્યલેખન, દુહા-છંદ-ચોપાઈ, લોક્વાર્તા એમ કુલ ૧૦ સ્પર્ધાઓ યોજાશે. ઉમંગ ઉત્સવમાં ભાગ લેવા ઇચ્છુક મોરબી જિલ્લાની સરકાર માન્ય દિવ્યાંગ બાળકોની સંસ્થાએ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમ નં. ૨૩૬/૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી ખાતેથી પ્રવેશપત્ર મેળવી તારીખ ૧૫ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ બપોરે ૧૨.૦૦ કલાક સુધીમાં જમા કરાવવા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવેલ છે.
 






Latest News