મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત


SHARE













મોરબીમાં નમો વનનું આજે મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવે છે. ત્યારે પહેલા કોંગ્રેસના કાર્યકરો દ્વારા લીલાપર ચોકડી પાસે વિરોધ કરવામાં આવ્યો હતો અને આ વનનું નામ બદલવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરવામાં આવી હતી ત્યારબાદ આમ આદમી પાર્ટીના આગેવાનો પણ મુખ્યમંત્રીને રજૂઆત કરવા જતા હોય તેઓને રોકીને તેમની પણ અટકાયત કરવામાં આવી હતી.

આજે મોરબીના લીલાપર ગામ પાસે લીલાપર ચોકડી નજીક કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ તેને ખાસ કરીને જોધપર ગામ પાસે પાંજરાપોળની જગ્યામાં જે નમો વન બન્યું છે તેનું નામ બદલવામાં આવે અને રજવાડાએ જમીન આપેલી હોવાથી તેના નામ ઉપરથી નામકરણ થાય અથવા તો સરદાર વલ્લભભાઈ પટેલના નામ ઉપરથી વનનું નામ આપવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે પોલીસે કોંગ્રેસના કાર્યકરોની ટીંગાટોળી કરીને વાહનમાં બેસાડીને ત્યાંથી અટકાયત કરી હતી અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના આગેવાનો ત્યાં પહોંચ્યા હતા અને તેમના દ્વારા સીએમને રજૂઆત કરવા માટે જાય છે તો તેમને શા માટે રોકવામાં આવી છે તેવી પોલીસ સાથે ચર્ચા કરવામાં આવી હતી જોકે પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી હતી. આમ કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટકાયત કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News