મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

નેસડા(ખા) ગામની વનીકરણ ટીમને  ગુજરાત સરકાર અને સદભાવના ટ્રસ્ટ તરફથી કલાઇમેટ ચેન્જ એવોર્ડ અર્પણ


SHARE













નેસડા(ખા) ગામની વનીકરણ ટીમને  ગુજરાત સરકાર અને સદભાવના ટ્રસ્ટ તરફથી કલાઇમેટ ચેન્જ એવોર્ડ અર્પણ

આજના ગૌરવમય પ્રસંગે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશ એકતા, વિકાસ અને પ્રગતિના પંથ પર આગળ વધી રહ્યો છે, ત્યારે ગુજરાત સરકાર અને સદભાવના ટ્રસ્ટ દ્વારા Climate Change Award માટે સમગ્ર ગુજરાતમાંથી 75 પ્રેરણાદાયક વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી હતી. આ યાદગાર અવસરમાં નેસડા(ખા) ગામમાં મહાદેવભાઈ મોહનભાઈ ભાડજા, જસમતભાઈ ભાડજા, ક્રિષ્ના કોરડીયા, હરેશભાઈ ભાડજા  તેમજ ગામના દરેક પરિવારના યોગદાન થકી અને ગામના પૂર્વ સરપંચ દિનશભાઈ ગડારા અને હાલના સરપંચ પંકજભાઈ ભાડજાના સહકાર અને સદભાવના ટ્રસ્ટના સહયોગથી ગામને નંદનવન બનાવવામાં આવ્યું છે આ કાર્યમાં નેસડા(ખા) ગામની વનીકરણની ટીમ નંદલાલભાઈ આર. ભાડજા, ડૉ. નિલેશભાઈ ભાડજા, ડી.કે. ગઢિયા, અંબારામભાઈ ભાડજા અને મનસુખભાઇ ભાડજાને તેમની કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે  Climate Change Award અને 25000 રૂપિયાનો ચેક આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.








Latest News