મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબી: પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા તરૂણનો મચ્છુ-2 ડેમના કાંઠેથી મૃતદેહ મળ્યો


SHARE













મોરબી: પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા તરૂણનો મચ્છુ-2 ડેમના કાંઠેથી મૃતદેહ મળ્યો

મોરબીના મચ્છુ-2 ડેમના કાંઠે કોઈપણ કારણોસર પાણીમાં પડી જવાના કારણે પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલ તરુણનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેને પાણીમાંથી કાઢીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ ઓમેન વિટ્રીફાઈડ કારખાનાની લેર કોલોનીમાં રહેતા પ્રવેશકુમારનો 15 વર્ષનો દીકરો રૂપેશકુમાર કોઈ કારણોસર પાણીમાં ડૂબી જતા તેની લાશ મોરબીના મચ્છુ-2 ડેમના કાંઠે પહોંચી ગઈ હતી જેથી કરીને ડેમના પાણીમાંથી તેના મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની નરેન્દ્રકુમાર રામકેશ રહે. હાલ લધીરપુર રોડ ઓમેન વીટ્રીફાઇડ કારખાનાની લેબર કોલોનીમાં મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News