લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વિદ્યાર્થીઓએ, નિવૃત અને નવનિયુક્ત અધિકારી-કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE











મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વિદ્યાર્થીઓએ, નિવૃત અને નવનિયુક્ત અધિકારી-કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા તાજેતરમાં 16મો સરસ્વતી સન્માન સમારોહ મહેન્દ્રનગર રામવાડી ખાતે રાખવામા આવેલ હતો જેમાં 240 જેટલા વિદ્યાર્થીઓએ પોતાના માર્કશીટ રજૂ કર્યા હતા. અને દરેક વિભાગમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર 90 વિદ્યાર્થીઓને શીલ્ડ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન સમારોહમાં આહીર સમાજના 8 નિવૃત્ત કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે 21 જેટલા આહીર સમાજના નવનિયુક્ત ક્લાસ વન અને ટુ અધિકારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ માતૃશ્રી રામબાઇમાની જગ્યાના સંત પ્રભુદાસજી મહારાજના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. અને આ કાર્યક્રમમાં રામધન આશ્રમના મહંતા ભાવેશ્વરી માતાજી, રામબાઈ માં આશ્રમ મયુરનગરના મહંતા વ્રજ કિશોરીબેન દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને આહીર સમાજના અધિકારીઓ જયશ્રીબેન જરૂ, નિર્મળભાઈ ગોગરા, વિક્રમભાઈ ખુંગલા તેમજ પ્રવીણભાઈ ભેડા દ્વારા કારકિર્દીલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને સમાજના અગ્રણીઓ લાખાભાઈ જારીયા, ચંદુભાઈ હુંબલ, દેવાભાઈ અવાડિયા, જેસંગભાઈ હુંબલ, અમુભાઈ હુંબલ તેમજ ચંદુભાઈ લાવડીયા, ભરતભાઈ ડાવેરા પણ હાજર રહ્યા હતા આ સંપૂર્ણ કાર્યક્રમના સહયોગી દાતા અરજણભાઈ મેરામભાઈ હુંબલ રહ્યા હતા.

આ સન્માન સમારોહમાં વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ એવા અજયભાઈ ડાંગર દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને મંત્રી મયુરભાઈ ગજીયા દ્વારા આભાર વ્યક્ત કરવામાંઆવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના પ્રમુખ દિનેશભાઈ હુંબલ અને મંત્રી મયુરભાઈ ગજીયા માર્ગદર્શન હેઠળ તમામ કારોબારી મિત્રોએ જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના સહમંત્રી એવા રાજેશભાઈ મંઢ દ્વારા કરવામાં આવ્યું હતું. 






Latest News