મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી શ્રી ઔદીચ્ય વિધોતેજક મંડળ દ્વારા દશેરાએ ત્રિવિધ કાર્યક્રમ યોજાશે


SHARE











મોરબી શ્રી ઔદીચ્ય વિધોતેજક મંડળ દ્વારા દશેરાએ ત્રિવિધ કાર્યક્રમ યોજાશે

મોરબી ઔદીચ્ય વિધોતેજક મંડળ દ્વારા દર વર્ષ દશેરાએ સન્માન સમારોહ તેમજ શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામા આવે છે આવી જ રીતે આ વર્ષે પણ આગામી તા. 2 ઓક્ટોબરને ગુરુવારે વિજ્યા દશમીના દિવસે તેજસ્વીતા અભિવાદન સમારોહ, શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી ઔદીચ્ય વિધોતેજક મંડળના પ્રમુખ ર્ડો. અનિલભાઈ મહેતા, મહામંત્રી ભુપતભાઇ પંડ્યાએ જણાવ્યુ છેકે, વિજ્યાદશમી તા. 2 ને ગુરુવારે ઔદીચ્ય જ્ઞાતિની ભોજનશાળા સબ જેલ પાસે વાંકાનેર દરવાજા મોરબી ખાતે સાંજે 5 વાગ્યે ત્રિવિધ કાર્યક્રમ રાખવામા આવેલ છે. જેમાં તેજસ્વીતા અભિવાદન સમારોહમાં ધો. 1 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવશે. તથા શસ્ત્ર તેમજ શાસ્ત્ર પૂજન પણ કરવામાં આવશે. આ ત્રિવિધ કાર્યક્રમમાં ઔદીચ્ય વિદ્યોતેજક મંડળના દરેક આજીવન સભ્યોને હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કરવા આયોજકોએ જણાવ્યુ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ, મંત્રી તથા પ્રોજેક્ટ ચેરમેન નરેન્દ્રભાઈ મહેતા તેમજ સર્વે ટ્રસ્ટી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News