મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન


SHARE













મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન

મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા દશેરાના દિવસે પરંપરાગત રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને મહારાણા પ્રતાપ સર્કલથી રેલી શરૂ કરવામાં આવશે જે મોરબીના ન્યુ પેલેસમાં આવેલ મોમાઈ માતાજીનાં મંદિરે પૂર્ણ કરવામાં આવશે અને ત્યાર બાદ ત્યાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાશે.

મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે  વિજયા દશમીના દિવસે મહારેલી અને શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મહારેલી અનો શસ્ત્ર પુજનનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા તા.2 ને ગુરુવારના રોજ વિજયા દશમીએ બપોરે સાડા ત્રણ વાગ્યે મહારાણા પ્રતાપ સર્કલથી રેલીશરૂ કરવામાં આવશે અને મોરબીના ન્યુ પેલેસમાં આવેલ મોમાઈ માતાજીનાં મંદિરે રેલીને પૂરી કરવામાં આવશે અને ત્યાર બાદ ત્યાં શાસ્ત્ર પૂજનનો કાર્યક્ર્મ યોજાશે. આ રેલીમાં ક્ષત્રિય ભાઈઓ રજવાડી પોશાકમાં તલવાર અને સાફા સાથે જોડાશે. અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જીલ્લા રાજપુત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા, મહામંત્રી મહાવીરસિંહ જાડેજા અને તેની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.




Latest News