મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ મોરબીના ઝીંઝુડા ગામે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે મોરબીમાં સામુહિક શ્રાવક વ્રત આરાધનામાં ૫૩ ભાવિકો જોડાયા મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા
Breaking news
Morbi Today

મોરબી : શ્રી જુના જાંબુડિયા પ્રાથમિક શાળામાં વયનિવૃત્તિ વિદાયમાન કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબી : શ્રી જુના જાંબુડિયા પ્રાથમિક શાળામાં વયનિવૃત્તિ વિદાયમાન કાર્યક્રમ યોજાયો

શ્રી જુના જાંબુડિયા પ્રાથમિક શાળામાં તા.૪-૧૦-૨૫ ના રોજ શિક્ષક  જયંતીલાલ જુગતરામ વ્યાસએ તા.૩૦-૯-૨૫ ના રોજ નિવૃત્ત થયા.આ વયનિવૃત્તિ પ્રસંગે હૃદયસ્પર્શી વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય આનંદભાઈ ભોજાણી તથા સમગ્ર શિક્ષકમંડળના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત વિદ્યા દેવી માતા સરસ્વતીના ચરણોમાં દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના ગીતથી કરવામાં આવી હતી.

બાદમાં નિવૃત્ત શિક્ષક જયંતીલાલ જુગતરામ વ્યાસએ પોતાના લાંબા કારકિર્દી દરમિયાન મેળવેલા અનુભવો, વિદ્યાર્થીઓ પ્રત્યેની સમર્પિત ભાવના અને શૈક્ષણિક સેવા અંગે સૌને પ્રેરક સંદેશ આપ્યો. શાળાના શિક્ષકમિત્રો દ્વારા તેમને શાલ, શ્રીફળ અને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓએ પણ ગીત, ભાષણ અને નાનકડા કાર્યક્રમો દ્વારા પોતાના પ્રિય શિક્ષક પ્રત્યે પ્રેમ અને આદર વ્યક્ત કર્યો હતો.અંતે સૌએ શિક્ષકશ્રીના સ્વસ્થ અને આનંદમય જીવન માટે શુભેચ્છાઓ પાઠવી.કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક અંતાણી કુશકુમાર દિનેશચંદ્ર દ્વારા તથા આભાર વિધિ શાળાના શિક્ષક રાજેશભાઈ ખાંભરા દ્વારા કરવામાં આવ્યું હતુ.






Latest News