મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠનની ટીમે એસપીનું કર્યું તલવાર આપીને સન્માન
મોરબીના ઘુટુ ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિતે પથ સંચલન સહિતના કાર્યક્રમ યોજાયા
SHARE







મોરબીના ઘુટુ ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિતે પથ સંચલન સહિતના કાર્યક્રમ યોજાયા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થવા નિમિતે સંઘ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે જેમાં વિજયાદશમી નિમિતે મોરબી તાલુકાનો વિજયાદશમીનો ઉત્સવ ઘુટુ ગામે યોજવામાં આવ્યો હતો જેમાં મોરબી તાલુકાના પીપળી ગામે આવેલ હરિહર આશ્રમના મહંત શરદ મુનિના આશીર્વચન મળ્યા હતા સાથે સાથે સંઘના 3 એકમ મોરબી તાલુકો, માળીયા તાલુકો, મોરબી નગરના પ્રચારક ભરતભાઇ રબારીનું બૌદ્ધિક હતું. આ તકે મોરબી તાલુકાના કાર્યવાહ અશોકભાઈ કાસુન્દ્રા ઉપસ્થિત હતા. અને પૂર્ણ ગણવેશમાં તરૂણ બાલ મળીને કુલ 93 લોકોએ ઘોષ સાથે ઘુટુ ગામમાં સંચલન કાઢ્યું હતું આ કાર્યક્રમમાં અન્ય પ્રત્યાક્ષિતમાં દંડયોગ અને નિયુદ્ધનું પણ પ્રત્યાક્ષિત રહ્યું હતું વધુ વાત કરતા બૌદ્ધિકમાં સંઘની 100 વર્ષની ગાથા અને એમાં આવેલ પડકારો અને પડકારોનો સામનો કેમ કરવો અને હવેના સમયમાં સંઘ કાર્ય કેમ કરવુંએ વિષય પર બૌદ્ધિક રહ્યું હતુ.
