મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી કાર અને ઘર પાસેથી બાઈકની ચોરીન ગુનામાં પોલીસે ચોરાઉ મુદામાલ સાથે આરોપીને દબોચ્યો મોરબીમાં નવયુગ ગ્રૂપે નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓનું હર્ષ અને ઉમંગથી કર્યું સ્વાગત મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીના ધાંધીયા, કમિશનરને કરાઇ રજૂઆત ટંકારાના મેઘપર ઝાલા ગામે જમીન માપણીના વિવાદમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેના ભત્રીજાની હત્યા મોરબીના વાવડી રોડે રહેતા વૃદ્ધાને મરવા મજબુર કરવાના કેસમાં ૩ મહિલા સામે કાર્યવાહી, ૩ ને શોધવા કવાયત મોરબી જિલ્લામાં લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાનનો સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી શુભારંભ કરાયો હળવદ તાલુકાની ૩ ગ્રામ પંચાયતોમાં વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્યોરની ભરતી કરાશે મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓની સમીક્ષા બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી : હળવદના સુસવાવ ગામે દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત


SHARE











મોરબી : હળવદના સુસવાવ ગામે દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુસવાવ ગામે રહેતા પરિવારના મહિલા અગમ્ય કારણસર ઝેરી દવા પી ગયા હતા.જેથી તેઓને સારવાર માટે અત્રે મોરબી લાવવામાં આવ્યા હતા.અને સારવાર દરમિયાન તેણીનું મોત નિપજયુ હોવાનું સામે આવ્યું છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે હળવદના સુસવાવ ગામે રહેતા નીમાબેન વિશાલભાઈ પાવરા નામની ૨૫ વર્ષીય મહિલા ગત તા.૨-૧૦ ના રોજ દવા પી ગયા હતા અને તેઓને અત્રે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.અહીં સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તા.૫-૧૦ ના વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં નિમાબેનનું મોત થયુ હતુ.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના ડી.એ.જાડેજાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે વધુ તપાસ માટે હળવદ પોલીસને જાણ કરી હતી.

વાહન અકસ્માત

મોરબીના મયુર પુલ ઉપરથી મોટરસાયકલ લઈને જતા સમયે કાર હડફેટે ઇજા થતા વિજયભાઈ મુમાભાઈ ગોલકીયા (૩૩) રહે.મોરબી એ ડિવિઝન પોલીસ લાઈન નજીક વાળાઓને સારવાર માટે સિવિલ ખસેડાયા હતા.જ્યારે મોરબીના માળિયા મીંયાણા તાલુકાના વેજલપર ગામના જીલેશભાઈ સુરાભાઈ ગોલતરને વાડીએથી ઘરે આવતા સમયે બાઇક ભેંસ સાથે અથડાતા ઈજા થયેલ હોય તેમને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના માળિયા હાઇવે ટીંબડી ગામના પાટીયા પાસે અજાણ્યા વાહન સાથે અકસ્માત થતાં સુરેશભાઈ ગોરધનભાઈ લીલપરા (૩૧) રહે. રાજપર ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર ને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના ગોર ખીજડીયા ગામ બાજુથી બરવાળા તરફ જતા રસ્તે અકસ્માત થતા સંજયભાઈ મુકેશભાઈ (૨૫) રહે.બરવાળાને ઇજા થઈ હોય સારવાર માટે મોરબી ખસેડાયા હતા.

મારામારીમાં ઇજા

મોરબીના લીલાપર રોડ ચાર માળિયા નજીક મારામારીના બનાવમાં ઈજા થતા મોહસીન મહેબુબભાઇ જુણેજા નામના ૩૫ વર્ષના યુવાનને સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબી શનાળા રોડ જીઆઇડીસી પાસે એકટીવા સ્લીપ થઈ જતા દિશાબેન બીપીનભાઈ ઠક્કર (૪૫) તથા ચિરાગ જગદીશભાઈ ઠક્કર (૩૪) રહે. બંને ઓડીસા હાલ મોરબીને ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવાયા હતા.જ્યારે મોરબીના લીલાપર રોડ ન્યુ વરિયા કારખાના પાસે થયેલ મારામારીમાં સંજય કાળુભાઈ અખિયાણી નામના ૩૦ વર્ષના યુવાનને ઇજાઓ પહોંચી હતી.

દાજી જતા સારવારમાં

મોરબી વાંકાનેર હાઇવે ઢુવા પાસેના માટેલ રોડ ઉપર આવેલ સનફલોરા સીરામીક પાસે રહીને મજૂરી કામ કરતાં પરિવારનો પંકજ ચંપાલાલ પમરા નામનો આઠ વર્ષનો બાળક દાઝી ગયો હતો.જેથી તેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે ટંકારાના વીરપર ગામના રહેવાસી ભગવતીબેન સવજીભાઈ નામના ૬૦ વર્ષના વૃદ્ધાને ગામમાં બાઈકમાં બેસીને જતા હતા ત્યારે પડી ગયા હોય સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News