તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી : હળવદના સુસવાવ ગામે દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત


SHARE











મોરબી : હળવદના સુસવાવ ગામે દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુસવાવ ગામે રહેતા પરિવારના મહિલા અગમ્ય કારણસર ઝેરી દવા પી ગયા હતા.જેથી તેઓને સારવાર માટે અત્રે મોરબી લાવવામાં આવ્યા હતા.અને સારવાર દરમિયાન તેણીનું મોત નિપજયુ હોવાનું સામે આવ્યું છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે હળવદના સુસવાવ ગામે રહેતા નીમાબેન વિશાલભાઈ પાવરા નામની ૨૫ વર્ષીય મહિલા ગત તા.૨-૧૦ ના રોજ દવા પી ગયા હતા અને તેઓને અત્રે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.અહીં સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તા.૫-૧૦ ના વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં નિમાબેનનું મોત થયુ હતુ.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના ડી.એ.જાડેજાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે વધુ તપાસ માટે હળવદ પોલીસને જાણ કરી હતી.

વાહન અકસ્માત

મોરબીના મયુર પુલ ઉપરથી મોટરસાયકલ લઈને જતા સમયે કાર હડફેટે ઇજા થતા વિજયભાઈ મુમાભાઈ ગોલકીયા (૩૩) રહે.મોરબી એ ડિવિઝન પોલીસ લાઈન નજીક વાળાઓને સારવાર માટે સિવિલ ખસેડાયા હતા.જ્યારે મોરબીના માળિયા મીંયાણા તાલુકાના વેજલપર ગામના જીલેશભાઈ સુરાભાઈ ગોલતરને વાડીએથી ઘરે આવતા સમયે બાઇક ભેંસ સાથે અથડાતા ઈજા થયેલ હોય તેમને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના માળિયા હાઇવે ટીંબડી ગામના પાટીયા પાસે અજાણ્યા વાહન સાથે અકસ્માત થતાં સુરેશભાઈ ગોરધનભાઈ લીલપરા (૩૧) રહે. રાજપર ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર ને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના ગોર ખીજડીયા ગામ બાજુથી બરવાળા તરફ જતા રસ્તે અકસ્માત થતા સંજયભાઈ મુકેશભાઈ (૨૫) રહે.બરવાળાને ઇજા થઈ હોય સારવાર માટે મોરબી ખસેડાયા હતા.

મારામારીમાં ઇજા

મોરબીના લીલાપર રોડ ચાર માળિયા નજીક મારામારીના બનાવમાં ઈજા થતા મોહસીન મહેબુબભાઇ જુણેજા નામના ૩૫ વર્ષના યુવાનને સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબી શનાળા રોડ જીઆઇડીસી પાસે એકટીવા સ્લીપ થઈ જતા દિશાબેન બીપીનભાઈ ઠક્કર (૪૫) તથા ચિરાગ જગદીશભાઈ ઠક્કર (૩૪) રહે. બંને ઓડીસા હાલ મોરબીને ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવાયા હતા.જ્યારે મોરબીના લીલાપર રોડ ન્યુ વરિયા કારખાના પાસે થયેલ મારામારીમાં સંજય કાળુભાઈ અખિયાણી નામના ૩૦ વર્ષના યુવાનને ઇજાઓ પહોંચી હતી.

દાજી જતા સારવારમાં

મોરબી વાંકાનેર હાઇવે ઢુવા પાસેના માટેલ રોડ ઉપર આવેલ સનફલોરા સીરામીક પાસે રહીને મજૂરી કામ કરતાં પરિવારનો પંકજ ચંપાલાલ પમરા નામનો આઠ વર્ષનો બાળક દાઝી ગયો હતો.જેથી તેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે ટંકારાના વીરપર ગામના રહેવાસી ભગવતીબેન સવજીભાઈ નામના ૬૦ વર્ષના વૃદ્ધાને ગામમાં બાઈકમાં બેસીને જતા હતા ત્યારે પડી ગયા હોય સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News