મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં જુદીજુદી જગ્યાએ સગીરા સહિત કુલ ચાર વ્યક્તિએ જાવન ટુંકાવ્યા-મોત


SHARE













મોરબી શહેર-તાલુકામાં જુદીજુદી જગ્યાએ સગીરા સહિત કુલ ચાર વ્યક્તિએ ગળાફાંસો ખાઈને કર્યા આપઘાત

મોરબી શહેર અને તાલુકામાં જુદીજુદી જગ્યા ઉપર સગીરા અને ત્રણ યુવાને આપઘાત કરેલ છે જેથી કરીને તેઓના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવોની સ્થાનીક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે. 

મોરબી શહેરના ત્રાજપર શેરી નં-5 માં મયુર સોસાયટીમાં રહેતા સંદીપભાઈ પ્રવીણભાઈ સાવરીયા (28) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસની જાણ કરવામાં આવી હતી અને આ બનાવની આગળની તપાસ એ.એમ.જાપડીયા ચલાવી રહ્યા છે તો મોરબીના મકનસર ગામ પાસે આવેલ નેશનલ રિફેકટરી નળિયાના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ એમપીના રહેવાસી દેવાભાઈ અંબારામભાઈ ભીલ (22) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે લેબર ક્વાર્ટરમાં ગળાફસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની લલિતભાઈ વાલમજીભાઈ ફેફર (38) રહે. અમૃતનગર રવાપર રોડ મોરબી વાળાએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી.

જ્યારે મોરબીના મકનસર પાસે આવેલ પ્રેમજીનગરમાં રહેતા શામજીભાઈ ચૌહાણની 17 વર્ષની દીકરી સ્નેહાબેન કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને ગોપાલભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવતીએ કયા કારણસર આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ બી.જી. દેત્રોજા ચલાવી રહ્યા છે આવી જ રીતે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ કામધેનુ પાર્ક ઓમકાર પેલેસ બ્લોક નંબર 504 માં રહેતા આદિત્યકુમાર નીતિનભાઈ શિરવી (21) નામના યુવાને કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News