મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં 23 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટના ગુનામાં 23 વર્ષથી મથુરા જિલ્લામાં સાધુ બનીને રહેતો આરોપી ઝડપાયો


SHARE













મોરબીમાં 23 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટના ગુનામાં 23 વર્ષથી મથુરા જિલ્લામાં સાધુ બનીને રહેતો આરોપી ઝડપાયો

મોરબી શહેરમાં 23 વર્ષ પહેલા લુંટ વિથ મર્ડરનો બનાવ બનેલ હતો જે ગુનામાં છેલ્લા 23 વર્ષથી આરોપી નાસતો ફરતો હતો જે આરોપી ઉતરપ્રદેશ રાજ્યના મથુરા જિલ્લા ખાતે સાધુ બની રહેતો હોવાની માહિતી મોરબી જિલ્લા એલસીબીની ટીમને મળી હતી જેથી કરીને એલસીબીની ટિમ મથુરા પહોચી હતી અને ત્યાંથી તેને હસ્તગત કરીને મોરબી લઈ આવ્યા હતા અને હાલમાં આરોપીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી દેવામાં આવેલ છે.

મોરબી સીટી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2002 માં ત્રાજપર ખારીમાં લુંટ વિથ મર્ડરનો બનાવ બનેલ હતો જેની યોગીનગરમાં રહેતા ફરીયાદી અશોકભાઇ પોપટભાઇ વરાણીયાએ ફરિયાદ નોંધાવેલ હતી જે બનાવમાં ફરીયાદીના નવી માતા ચંપાબેન (60)ની હત્યા કરવામાં આવી હતી વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ફરીયાદીના માતા ચંપાબેનને આરોપીએ કપડા વડે ગળે ટુંપો આપીને હત્યા કરી નાખી હતી અને ફરિયાદીની માતાએ પહેરેલ દાગીના સોનાના પાટલા, ચેન, પગમાં પહેરવાના ચાંદીના કડલાની લુંટ કરી હતી અને આરોપી નાશી ગયો હતો.

આ ગુનાની તપાસ તત્કાલીન પીઆઇ દ્વારા કરવામાં આવી હતી અને આરોપી તરીકે અગાઉ સોનલબેન ઉર્ફે સોનું ઉર્ફે ધર્માવતી નટવરભાઇ પરમાર રહે. મુળ સોખડા તાલુકો ડોદરા તથા પ્રેમસીંગ ઉર્ફે ગુફુ સરમન બઘેલ (ગદરીયા) રહે. અવાર તાલુકો કુહેર રાજસ્થાન વાળાના નામ સામે આવ્યા હતા જેથી પોલીસની અલગ-અલગ ટીમો બનાવી આરોપીને પકડવા માટે સભંવીત જગ્યાઓએ તેના વતનમાં તપાસ કરી હતી જો કે, આરોપી મળી આવ્યા ન હતા. અને બાદમાં મોરબી કોર્ટમાથી બંને આરોપીઓના સી.આર.પી.સી.કલમ 70 મુજબના વોરંટ મેળવેલ હતા તેમજ બંન્ને આરોપીઓને ફરારી જાહેર કરવા કોર્ટમાંથી સી.આર.પી.સી.કલમ 82 (2) મુજબ તા.27/8/2009 ના રોજ રીપોર્ટ કરી ફરારી જાહેર કરાવેલ હતા.

આ ગુનાના નાસતા ફરતા આરોપી છેલ્લા ત્રેવીસ વર્ષ જેટલા લાંબા સમયથી નાસતા ફરતા રહેલ હોય જેથી તેઓને પકડી પાડવા એસપીની સૂચના મુજબ એલસીબીના પીઆઇ એમ.પી.પંડયાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી હતી અને આ ગુનામાં નાસતા ફરતા આરોપીઓ પૈકીના પ્રેમસીંગ ઉર્ફે ગુફુ સરવન રહે. અવાર તાલુકો કુમ્હેર રાજસ્થાન વાળો હાલે ઉત્તરપ્રદેશ રાજ્યના મથુરા જિલ્લામાં સાધુનો વેશ ધારણ કરી કોઇ મંદીરમાં રહી સેવા પુજા કરતો હોવાનું સામે આવ્યું હતું જેથી એલસીબીની ટિમ ત્યાં પહોચી હતી અને મથુરા જિલ્લાના છાતા તાલુકાના તરોલી જાનુબી ગામની સીમમાં આવેલ હનુમાન મંદીર ખાતે સ્થાનીક ભાષા તેમજ સ્થાનીક વેશ તેમજ લોકલ વાહનોનો ઉપયોગ કરી સ્થાનીક પોલીસને સાથે રાખી તપાસ કરી હતી અને છેલ્લા ત્રેવીસ વર્ષથી નાસતો ફરતો આરોપી ત્યાંથી હસ્તગત કરવામાં આવેલ છે અને આરોપીને એ ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવેલ છે.




Latest News