મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપીના 18મી સુધીના રિમાન્ડ મંજૂર


SHARE













મોરબીમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપીના 18મી સુધીના રિમાન્ડ મંજૂર

મોરબી શહેરમાં લુંટ વિથ મર્ડરનો બનાવ બનેલ હતો જે ગુનામાં 23 વર્ષથી આરોપી નાસતો ફરતો હતો જે ગુનામાં સંડોવાયેલ આરોપી ઉતરપ્રદેશના મથુરા જિલ્લામાં મદિરે સાધુ બની ગયો હોવાની માહિતી મળી હતી જેથી મોરબી જિલ્લા એલસીબીની ટીમ ત્યાં પહોચી હતી અને આરોપીને પકડવા માટે પોલીસ અધિકારી અને કર્મચારીઓએ વેશ પલટો કરીને મથુરા જિલ્લામાંથી આરોપીને હસ્તગત કરીને મોરબી લઈ આવીને તેની ધરપકડ કરી હતી અને આરોપીને મોરબી કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

મોરબી સીટી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2002 માં ત્રાજપર ખારીમાં લુંટ વિથ મર્ડરનો બનાવ બનેલ હતો જે બનાવમાં ફરીયાદીના નવી માતા ચંપાબેન (60)ની હત્યા કરવામાં આવી હતી વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ફરીયાદીના માતા ચંપાબેનને આરોપીએ કપડા વડે ગળે ટુંપો આપીને હત્યા કરી નાખી હતી અને ફરિયાદીની માતાએ પહેરેલ દાગીના સોનાના પાટલા, ચેન, પગમાં પહેરવાના ચાંદીના કડલાની લુંટ કરી હતી અને આરોપીઓ નાશી ગયા હતા જે બનાવની યોગીનગરમાં રહેતા ફરીયાદીના દીકરા અશોકભાઇ પોપટભાઇ વરાણીયાએ ફરિયાદ નોંધાવેલ હતી

આ ગુનામાં મૃતક મહિલાની સાથે સેવા કરવા માટે રહેતી મહિલા સોનલબેન ઉર્ફે સોનું ઉર્ફે ધર્માવતી નટવરભાઇ પરમાર રહે. મુળ સોખડા તાલુકો ડોદરા તથા પ્રેમસીંગ ઉર્ફે ગુડુ સરમન બઘેલ (ગદરીયા) રહે. અવાર તાલુકો કુહેર રાજસ્થાન વાળાના નામ સામે આવ્યા હતા જેથી પોલીસની અલગ-અલગ ટીમો બનાવી આરોપીને પકડવા માટે સભંવીત જગ્યાઓએ તેના વતનમાં તપાસ કરી હતી જો કે, આરોપી મળી આવ્યા ન હતા. અને મથુરા જિલ્લામાં સાધુનો વેશ ધારણ કરી રહેતા આરોપી પ્રેમસીંગ ઉર્ફે ગુડુ સરમન બઘેલની ધરપકડ કરેલ છે અને તેને કોર્ટમાં રજૂ કરીને આગમી તા 18 સુધીના પોલીસે તેના રિમાન્ડ મેળવ્યા છે.

આ આરોપીને પકડવા માટે એલસીબીના પીઆઇ એમ.પી.પંડયાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી હતી અને આરોપી પ્રેમસીંગ ઉર્ફે ગુડુ સરવનએ અહીથી હત્યા કરીને નાસી ગયા બાદ મથુરા જિલ્લામાં છાતા તાલુકાના તરોલી જાનુબી ગામની સીમમાં હનુમાનજીનું મંદિર સ્થાનિક લોકોના સહયોગથી બનાવેલ હતી અને ત્યાં તે સાધુનો વેશ ધારણ કરીને રહેતો હતો અને સેવા પુજા કરતો હતો. જેથી એલસીબીની ટિમ ત્યાં પહોચી હતી અને આરોપીની ઓળખ તેના પરિવારજન સાથે કર્યા બાદ તેની ધરપકડ હત્યાના બનાવમાં કરવામાં આવેલ છે. જો કે, આરોપીને પકડવા માટે પીએસઆઈ બી.ડી. ભટ્ટ અને તેની ટીમે ત્યાં વેશ પલટો કર્યો હતો અને ત્યાર બાદ આરોપી ત્યાંથી હસ્તગત કરીને મોરબી લઈ આવીને એ ડિવિઝન પોલીસ હવાલે કરેલ છે.

મોરબી સહિત ગુજરાતમાં બની રહેલ ક્રાઇમની ઘટનામાં ઘણી વખત બીજા રાજ્યમાંથી આવેલા આરોપી ગુનાને અંજામ આપીને નાશી જાય છે ત્યાં બાદ વર્ષો સુધી તેનો કોઈ પત્તો લાગતો નથી તેવો ઘાટ આ બનાવમાં પણ બનેલ હતો જો કે, ટેકનિકલ મધ્યમ અને હ્યુમન સોર્સિસથી મહેનત કરીને પોલીસે હત્યા અને લૂંટના આ ગુનાનો 23 વર્ષે ભેદ ઉકેલી નાખેલ છે જો કે હજુ મહિલા આરોપી પકડાયેલ નથી.




Latest News