માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું


SHARE













મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું

મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંસદો અને ધારાસભ્યો સહિતના હાજર રહ્યા હતા અને ત્યારે 9.02 કરોડના 89 કામોનું ખાતમુહૂર્ત તથા 7.64 કરોડના 95 કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

તકે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, સરકારે યુવા, ગરીબ, મહિલા અને ખેડૂતોના ઉત્થાન પર ભાર મૂકી અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. યુવાઓને રોજગારી, મહિલાઓને સુરક્ષા, ખેડૂતો માટે કિસાન સન્માન નિધિ વિગેરેનો લોકોને ખૂબ જ લાભ મળી રહયો છે. આટલું જ નહીં અધુરુ ભણતર છોડી દેતા બાળકો અને ખાસ કરીને દીકરીઓને શિક્ષિત કરવામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રેવશોત્સવે મહત્વની ભૂમિકા ભજવી છે. ત્યાર બાદ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા અને પ્રકાશભાઈ વરમોરાએ પ્રસંગિક ઉદબોધન આપ્યું હતું.

જયારે સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું હતું કે, આજે આરોગ્ય, શિક્ષણ, રોજગારી, વીજળી તેમજ ખેતી ક્ષેત્રના વિકાસ સાથે ગામડાઓ ધબકતા થયા છે. તમામ ક્ષેત્રે માળખાકીય સુધારાઓ સાથે વિકાસની ગતિને વેગ મળ્યો છે અને છેલ્લા અઢી દાયકામાં ગુજરાત રાજ્ય તથા ૧૧ વર્ષમાં દેશની કાયાપલટ થઈ છે. તો સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ કહ્યું હતું કે, આજે વિકાસની વિભાવના બદલાઈ છે, શિક્ષણ, આરોગ્ય તથા શહેરી વિકાસ ક્ષેત્રે આદર્શ રોડ મેપ થકી અનેક વિકાસ પ્રકલ્પો નિર્માણ પામ્યા છે અને પામી રહ્યા છે. ત્યારે સહુકોઈને સ્વદેશી વસ્તુ અપનાવીને દેશને આત્મનિર્ભર બનાવવામાં સહભાગી બનવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા સર્વે ઉપસ્થિતોએ મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. 

ત્યાર બાદ જુદાજુદા વિભાગના કુલ મળીને 11.66 કરોડના 184 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. અને આ કામોમાં શાળાઓ, રોડ રસ્તાઓ, પેવર બ્લોક, ભૂગર્ભ ગટરના કામ, કમ્પાઉન્ડ વોલના કામ, સ્મશાનના કામ, કોઝવે, પ્રોટેક્શન વોલ, વેટરનરી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર સહિતના કામોનો સમાવેશ થાય છે. કાર્યક્રમમાં પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, કલેક્ટર કે.બી. ઝવેરી, મોરબી મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરે, ઈનચાર્જ ડીડીઓ અને ડીઆરડીએ નિયામક નવલદાન ગઢવી, મોરબી ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન જયંતીભાઈ પટેલ સહિતના પદાધિકારી અને અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.




Latest News