મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા, બમણી રકમ વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો હુકમ


SHARE













મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા, બમણી રકમ વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો હુકમ

મોરબીનબી કોરટમાં ચેક રીટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીને એક વર્ષની કેદની સજા તેમજ કેસની બાકી નીકળતી રકમ ૩,૦૮,૫૮૩ ની બમણી રકમ ૬,૧૭,૧૬૬ ફરીયાદ તારીખથી વાર્ષિક ૯ ટકા લેખે વ્યાજ સાથે ફરિયાદીને ચૂકવી આપવા કોર્ટે હુકમ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, વાંકાનેરના માટેલ ગામે રહેતા ફરિયાદી કમલેશભાઈ ભગવાનજીભાઈ જેઠાલોજા સોલવીશ સિરામિક એલ. એલ.પી. ના પાર્ટનર છે અને તેની પાસેથી આરોપી જય માં દુર્ગા ટ્રેડર્સના પ્રોપરાઇટર રામઅવતાર રામદયાલ રહે પીપરાઇચ જિલ્લો ગોરખપુર ઉત્તરપ્રદેશ વાળાએ સિરામિક ટાઇલ્સની ખરીદી કરેલ હતી. તેની બાકી રહેતી લેણી રકમ પૈકી ૩,૦૮,૫૮૩ વસૂલ આપવા આરોપીએ ચેક આપેલો હતો. તે ચેક પરત ફરતા ફરીયાદીએ આરોપી સામે નેગોશીએબલ ઇન્સટ્રુમેન્ટ એક્ટ ની કલમ ૧૩૮ હેઠળનો ફોજદારી કેસ મોરબીના એડિશનલ ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં વર્ષ ૨૦૨૪ ની સાલમાં દાખલ કરેલ હતો.

જેમાં આરોપીએ બાકીની રકમ નહિ ચુકવતા ફરિયાદની ટ્રાયલ ચાલી જતા આરોપી રામઅવતાર રામદયાલને ૧ વર્ષની સાદી કેદની સજા તેમજ બાકી નીકળતી રકમ ૩,૦૮,૫૮૩ ની બમણી રકમ ૬,૧૭,૧૬૬ ફરીયાદ તારીખથી વાર્ષિક ૯ ટકા લેખે વ્યાજ વળતર પેટે ફરિયાદીને ચૂકવી આપવા તથા વળતર ચૂકવવામાં કસુર થયેથી વધુ ૯૦ દિવસની કેદની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ કેતનકુમાર કે.નાયક અને નલીનકુમાર ટી.અઘારા રોકાયેલ હતા.




Latest News