મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

ટંકારાના નસીતપર ગામે મારૂતિ ગૌશાળાના લાભર્થે નાટકનું આયોજન


SHARE







ટંકારાના નસીતપર ગામે મારૂતિ ગૌશાળાના લાભર્થે નાટકનું આયોજન

ટંકારાના નસીતપર ગામે આગમી તા.૨૬ ના રોજ શ્રી મારૂતી ગૌ સેવા યુવક મંડળ દ્વારા શ્રી મારૂતિ ગૌશાળા ટ્રસ્ટના લાભાર્થે જુદાજુદા બે ભવ્ય નાટકનું આયોજન કરવાં આવ્યું છે જેનો ગૌપ્રમીઓ સહિતના લોકોએ લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે.

આગામી તા. ૨૬ ને રવિવાર ના રોજ રાત્રે ૯.૩૦ કલાકે નસીતપર ગામે પંચાયત ગ્રાઉન્ડ મુકામે મારૂતી ગૌ શાળા ટ્રસ્ટ- નસીતપરના લાભાર્થે શ્રી મારૂતી ગૌ સેવા યુવક મંડળ- નસીતપર દ્રારા મહાન ઐતિહાસિક નાટક "સોરઠનો સિંહ રા'નવઘણ યાને બહેન જાહલ ની ચિઠ્ઠી" સાથે હાસ્ય રસીક કોમીક "બિચારો શેઠ, ફસાયો ઠેઠ" ભજવામાં આવશે. તો આ નાટક અને કોમિક નિહાળવા તથા ગૌ સેવાના ભગીરથકાર્યમાં સહભાગી થવા જાહેર જનતાને શ્રી મારૂતી ગૌ શાળા ટ્રસ્ટ તથા સમસ્ત નસીતપર ગામ વતી આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News