મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામે પરણીતા અને રફાળેશ્વર નજીક યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત


SHARE













મોરબીના લાલપર ગામે પરણીતા અને રફાળેશ્વર નજીક યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત

મોરબીના લાલપર ગામે ઘરમાં પરણીતાએ અને રફાળેશ્વર ગામ નજીક આવેલ કારખાના પાસે યુવાને કોઈ અગમ્યતા કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે બંનેના મૃતદેહને પીએમ માટે સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલા લાલપર ગામે રહેતા કૂમાબેન અમિતકુમાર (20) નામની પરણીતાએ કોઈ અગમ્યતા કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળેલ માહિતી પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો ચાર વર્ષનો હતો જોકે, કયા કરાણોસર મહિલાએ અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં પોલીસ આગળની તપાસ કરી છે

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ નજીક આવેલ વેલ્સા સિરામિક કારખાનાના કવાર્ટરમાં રહેતા મૂળ એમપીના રહેવાસી ગોપાલભાઈ હુકમસિંહ ઉર્ફે હોકમસિંહ યાદવ (20) નામના યુવાને કોઈપણ કારણોસર કારખાના પાસે ઝાડ સાથે લટકીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ત્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

યુવાનનું મોત

ટંકારા તાલુકાના ઘૂડા (સ) ગામે હરેશભાઈ પાટડીયાના પ્લોટ માં રહેતા મૂળ બિહારના સામપુર ગામના રહેવાસી ચંદનકુમાર તિવારી (27) નામના યુવાનને છાતીમાં દુખાવો થવા લાગતા તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની મૃતક યુવાનના બિહારમાં રહેતા પરિવારજનોને જાણ કરવામાં આવી છે




Latest News