મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામ નજીક કારખાનાની લેબર કોલોનીની બાલકાનીમાંથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE













મોરબીના બગથળા ગામ નજીક કારખાનાની લેબર કોલોનીની બાલકાનીમાંથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત

મોરબી તાલુકાના બગથળા ગામની સીમમાં આવેલ વીરાના કારખાનાની લેબર કોલોનીમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન કોલોનીમાં ત્રીજા માળે આવેલ લાકડાની બાલકાનીમાંથી નીચે પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને જો કે, સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવની મૃતક યુવાનના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના બગથળા ગામની સીમમાં આવેલ વીરાના કારખાનાની લેબર કોલોનીમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી રોહિતભાઈ અશોકસિંહ કનીજીયા (25) નામનો યુવાન કારખાનામાં આવેલ લેબર કોલોનીમાં ત્રીજા મળે આવેલ લાકડાની બાલકનીમાંથી નીચે પડી ગયો હતો જેથી તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની કપ્તાનસિંહ અનિલભાઈ ફેરવા (32) રહે. હાલ વીરાના કારખાનાની લેબર કોલોનીમાં બગથળા વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News