મોરબીના લાલપર ગામે પરણીતા અને રફાળેશ્વર નજીક યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
મોરબીના બગથળા ગામ નજીક કારખાનાની લેબર કોલોનીની બાલકાનીમાંથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત
SHARE














મોરબીના બગથળા ગામ નજીક કારખાનાની લેબર કોલોનીની બાલકાનીમાંથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત
મોરબી તાલુકાના બગથળા ગામની સીમમાં આવેલ વીરાના કારખાનાની લેબર કોલોનીમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન કોલોનીમાં ત્રીજા માળે આવેલ લાકડાની બાલકાનીમાંથી નીચે પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને જો કે, સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવની મૃતક યુવાનના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના બગથળા ગામની સીમમાં આવેલ વીરાના કારખાનાની લેબર કોલોનીમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી રોહિતભાઈ અશોકસિંહ કનીજીયા (25) નામનો યુવાન કારખાનામાં આવેલ લેબર કોલોનીમાં ત્રીજા મળે આવેલ લાકડાની બાલકનીમાંથી નીચે પડી ગયો હતો જેથી તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની કપ્તાનસિંહ અનિલભાઈ ફેરવા (32) રહે. હાલ વીરાના કારખાનાની લેબર કોલોનીમાં બગથળા વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

